SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪] [દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર છે, છતાં અંદરમાં જ્ઞાતાદષ્ટાનો પ્રવાહ ચાલુ જ છે. બહારની ઉન્મત્ત ચેષ્ટા વખતે પણ તે ઉન્મત્ત ચેષ્ટાના તથા તે વખતના મોહના જ્ઞાતાપણે રામચંદ્રજી વર્તે છે. ૯૯૩. * જેને શુભની રુચિ છે તેને વિષયની જ રૂચિ છે, કારણ કે શુભની સચિવાળાને તેના ફળમાં પુણ્યની સામગ્રી આવશે ત્યારે તેમાં જ તે રત બનશે, એટલે ખરેખર તો શુભરાગનો પ્રેમી તે વિષયનો જ પ્રેમી છે, પછી ભલેને વર્તમાનમાં રાજ-પાટ આદિ છોડીને દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય. ધર્માત્માને તો પુણ્ય ને તેની સામગ્રી કાળાનાગ જેવી લાગે છે, તેથી તેનાથી છૂટવા તે અંતર્મુખનો જ પ્રયત્ન કરે છે. અસ્થિરતાને લઈને ધર્માત્માને શુભ વિકલ્પ આવે પણ તેને તેની રુચિ હોતી નથી. રાગનું રુચિપૂર્વક સેવન તે આત્મસ્વરૂપથી વિરુદ્ધ આચરણ હોવાથી વ્યભિચાર છે. અજ્ઞાનીને રાગનું રુચિપૂર્વક સેવન હોય છે; ધર્માત્માને તો સ્વભાવની જ રુચિ હોય છે. ૯૯૪. * લક્ષ્મી મળવી તે પુણ્યનું ફળ છે, તેમાં આત્માને શું? પૈસાની સમૃદ્ધિથી પોતાને મોટો માનનાર ભિખારી છે, રાંકો છે. એકવાર એક રાજા વ્યાખ્યાન સાંભળવા આવ્યા હતા ત્યારે કહ્યું હતું. રાજન! ઝાઝું માગે તે મોટો માગણ, થોડું માગે તે નાનો માગણ. વેપારી લાખની તૃષ્ણા કરે તે નાનો માગણ અને રાજા કરોડો ને અબજની તુષ્ણા કરે માટે તે મોટો માગણ; સરવાળે બધા માગણ, ભિખારી ને રાંકા જ છે. પોતાની ચૂત લક્ષ્મીની જેને ખબર નથી અને જડની લક્ષ્મીની-પૈસા દો, આબરૂ દો, બાયડી દો એમ-ભીખ માગે છે તેને શાસ્ત્રમાં ‘વરાવ:' કહ્યા છે. ભાઈ ! આ બહારની લક્ષ્મી તો ધૂળ છે, અંદર ભગવાન આત્મામાં જ્ઞાનાનંદમય ચૈતન્યલક્ષ્મી પડી છે તેની તને કિંમત નથી. તારી ચૈતન્યમય સંપદાની શી વાત ! અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત-આનંદ, અનંતવીર્ય-એવી અનંત અનંત ગુણલક્ષ્મી તારા ચૈતન્યખજાનામાં ભરી પડી છે. ભગવાન જ્ઞાયક આત્મા છે તો શરીરપ્રમાણ આટલા ક્ષેત્રમાં, પણ તેના ગુણોની સંખ્યામાં એટલી અનંતતા છે કે અનંતનો અનંત વડે અનંત અનંત અનંત વાર ગુણાકાર કરો તોપણ કદી તે ગુણોની અનંતતાને પહોંચાતું નથી. અહીં પ્રભુ! આત્મા શી ચીજ છે! આત્મામાં જ્ઞાન આનંદ આદિની અનંતી અવંતી લક્ષ્મી પડી છે તેની તને ખબર નથી. ૯૯૫. * કારણશુદ્ધપર્યાય કોને કહેવી ? દ્રવ્યમાં નિરપેક્ષ કારણરૂપ શુદ્ધ દશા ત્રિકાળ છે પદ્મપ્રભમુનિરાજે એવી વાત કરી છે કે જેમ ધર્મ-અધર્મ–આકાશ અને કાળ એ ચારે દ્રવ્યો ત્રિકાળ શુદ્ધ છે અને પર્યાયમાં પણ એકધારાપણે અખંડ Please inform us of any errors on [email protected]
SR No.008233
Book TitleDravya Drushti Jineshvar
Original Sutra AuthorN/A
AuthorAtmadharm Parivar
PublisherSharadaben Shantilal Shah Mumbai
Publication Year1996
Total Pages267
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1005 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy