________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીર્યશક્તિ
': ૮૧ : એ ત્રણેમાંથી દરેકના નવ નવ ભેદ થાય છે; તે આ પ્રમાણે:
૧. દ્રવ્યમાં દ્રવ્યનો આરોપ, ૨. દ્રવ્યમાં ગુણનો આરોપ, ૩. દ્રવ્યમાં પર્યાયનો આરોપ, ૪. ગુણમાં ગુણનો આરોપ, ૫. ગુણમાં દ્રવ્યનો આરોપ, ૬. ગુણમાં પર્યાયનો આરોપ, ૭. પર્યાયમાં પર્યાયનો આરોપ, ૮. પર્યાયમાં ગુણનો આરોપ, ૯. પર્યાયમાં દ્રવ્યનો આરોપ. તેમાં સજાતિ દ્રવ્ય-ગુણ-પર્યાયનો એક બીજામાં આરોપ કરવો તે સજાતિ ઉપચાર છે. જેમ કે ચંદ્રના પ્રતિબિંબને ચંદ્ર કહેવો તે સજાતિ પર્યાયનો સજાતિ પર્યાયમાં આરોપ છે.
વિજાતિ દ્રવ્ય-ગુણ પર્યાયનો એક બીજામાં આરોપ કરવો તે વિજાતિ ઉપચાર છે. જેમકે જ્ઞાનને મૂર્ત કહેવું તે વિજાતિ ગુણનો વિજાતિ ગુણમાં ઉપચાર છે. સજાતિ-વિજાતિ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં આરોપ કરવો તે સજાતિ-વિજાતિ ઉપચાર છે, જેમ કે જીવઅજીવરૂપ યો જ્ઞાનનો વિષય હોવાથી તેને જ્ઞાન કહેવું તે સજાતિવિજાતિ દ્રવ્યમાં સજાતિ-વિજાતિ ગુણનો આરોપ છે. [ જાઓ, જૈનસિદ્ધાંત દર્પણ પૃ. ૩૨-૩૩.]
ભેદ-અભેદવડે દ્રવ્ય-ગુણ-પર્યાય સધાય છે, એમ જાણવું. એક જ્ઞાન પોતાના સ્વભાવનું કર્તા છે, જ્ઞાનનો ભાવ તે કર્મ છે, જ્ઞાન પોતાના ભાવવડે પોતાને સાધે છે તેથી પોતે કરણ છે. પોતાનો સ્વભાવ પોતાને સોંપે છે તેથી પોતે સંપ્રદાન છે. પોતાના ભાવમાંથી પોતાને પોતે સ્થાપે છે તેથી અપાદાન પોતે છે, પોતાનો આધાર પોતે છે તેથી અધિકરણ પોતે છે. (એ પ્રમાણે) આ જ છ કારકો એકેક ગુણમાં જુદા જુદા અનંત ગુણ પર્યત સાધવા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com