________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શન ગુણનું સ્વરૂપ
: ૨૩ : આવરણ બે ન હોય. પરંતુ આ કથન તો નિઃસંદેહ છે કે જ્ઞાનાવરણ અને દર્શનાવરણ એ બે જતાં સિદ્ધ ભગવાનને (કવળજ્ઞાન અને કેવળદર્શન એવા) બે ગુણો પ્રગટે છે.
[વળી જો] આત્માનું અવલોકન જ દર્શન હોય તો સર્વદર્શિત્વ શક્તિનો અભાવ થાય (પરંતુ આગમમાં) તે સર્વદર્શિત્વ શક્તિ કહી છે. સિદ્ધાંતનું એવું વચન છે કે 'विश्वविश्वसामान्यभावपरिणामात्मदर्शनमयी सर्वदर्शित्वशक्ति:" [ સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવારૂપે (અર્થાત્ સર્વ પદાર્થોના સમૂહરૂપ લોકાલોકને સત્તામાત્ર ગ્રહવારૂપે) પરિણમેલા એવા આત્મદર્શનમયી સર્વદર્શિત્વશક્તિ] આમ સમયસારના ઉપન્યાસ [–પરિશિષ્ટ] માં કહ્યું છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-દર્શનને નિરાકાર કહ્યું. [ પરંતુ] સર્વદર્શિત્વ શક્તિમાં તો સર્વજ્ઞયોને દેખવાથી [તે] નિરાકાર ન રહ્યું? તેનું સમાધાન-ગોમ્મસારજી (જીવકાંડ) માં કહ્યું છે કે –
भावाणं सामण्णविसेसयाणं सरूवमेत्तं जं।
वण्णणहोणग्गहणं जीवेण य दंसणं होदि।। ४८३।। [ અર્થ- જીવદ્વારા જે સામાન્યવિશેષાત્મક પદાર્થોની રૂપર સત્તાનું નિર્વિકલ્પરૂપે અવભાસન થાય છે તેને દર્શન કહે છે.)
ટીકાઃ- “માવાનાં સામાન્યવિશેષાત્મbપાર્થીનાં યસ્વરુપમાત્ર विकल्परहितं यथा भवति तथा जीवेन सह स्वपरसत्तावभासनं तदर्शनं भवति। पश्यति दृश्यते अनेन दर्शनमात्रं वा दर्शनं"
આ કથનમાં, સામાન્ય વિશેષમય સર્વ પદાર્થોનું સ્વરૂપ માત્ર, વિકલ્પરહિત, જીવ સહિત સ્વ-પરનું ભાસવું (તેને)
૧. ગુજ0 સમયસાર. પૃ. ૫૭૪.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com