________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૦ :
ચિહ્ન વિલાસ
આ પ્રમાણે ચૈતન્ય વડે સત્તાના સાત ભંગ જ્ઞાન સાથે સધાય છે. એજ પ્રમાણે ચૈતન્ય વડે સત્તાના સાત ભંગ દર્શન સાથે સાધવા; તથા એ જ પ્રમાણે વીર્ય સાથે, પ્રમેયત્વ સાથે, તેમજ અનંત ગુણો સાથે (સાધવા ) ચેતનાની જેમ બધા ગુણો સાથે (સત્તાના સાત ભંગ) સાધીએ ત્યારે (સત્તામાં ) અનંત સાત ભંગ સધાય છે. વળી સત્તાની જગ્યાએ વસ્તુત્વ મૂકીને, તેની સાથે સત્તાની જેમ સાધીએ ત્યારે અનંતવાર સાત ભંગ થાય છે. એ જ રીતે વસ્તુત્વ સાથે. એવી જ રીતે એકેક ગુણ સાથે અનંતવાર જુદા જુદા સાધવા. એ રીતે અનંત ગુણ સિદ્ધ થાય છે.
સત્તાની જગ્યાએ ( ચેતન ) મૂકીએ ત્યારે એક ચેતનની વિવક્ષાથી (સાત ભંગ) સધાય છે, તે જ પ્રમાણે ચેતનાની માફક એકેક ગુણને વિવક્ષાવડે સાધીએ ત્યારે બધા ગુણો પર્યંત અનંતાનંત (સાત ભંગ) એક એક ગુણ સાથે સધાય છે.
એવી રીતે આ ચર્ચા સ્વરૂપની રુચિ પ્રગટે ત્યારે પામે અને કરે. નિજ ઘ૨નાં નિધાન નિજપારખી જ પરખે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com