________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૨૪ :
ચિત્ વિલાસ જ્ઞાન ઉપયોગમાં ચારિત્ર શુદ્ધ હોય (છતાં) ત્યાં કેવળજ્ઞાન ન પણ હોય. બારમા ગુણસ્થાને ચારિત્ર શુદ્ધ તો છે પણ કેવળજ્ઞાન નથી; બારમાં ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર છે અને તેર-ચૌદમે ગુણસ્થાને પરમ યથાખ્યાત ચારિત્ર છે; તેથી ચારિત્ર અપેક્ષાએ ધર્મમઘસમાધિ બારમાં ગુણસ્થાને થઈ. કેવળ જ્ઞાનમાં (તો પરમાત્મદશા) વ્યક્ત છે તેથી ત્યાં સાધકસમાધિ ન કહીએ. અહીં બારમા ગુણસ્થાનમાં સાધક છે, અંતરાત્મા છે. આને ધર્મમઘસમાધિ કહીએ. તેમાં પણ શબ્દ, અર્થ અને જ્ઞાન એ ત્રણ ભેદ લગાડવા.
૧૩. અસંપ્રજ્ઞાત સમાધિ હવે, તેરમી અસંપ્રજ્ઞાત સમાધિ કહીએ છીએ:
જેમાં પરવેદના નથી, નિજને જ વેદે છે, જાણે છે, પરનું વિસ્મરણ છે, નિજ અવલોકન છે તેને અસંપ્રજ્ઞાત (સમાધિ) કહીએ. બારમાં ગુણસ્થાનના અંત સમય સુધી તો ચારિત્ર વડ પરવેદના મટેલી, કેમ કે ત્યાં મોહનો અભાવ થયો હતો; તેરમાં ગુણસ્થાનને જ્ઞાન કેવળ અદ્વૈત થયું. ત્યાં જ્ઞાનમાં નિશ્ચયથી (-તન્મયપણે) પરનું જાણપણું નથી; વ્યવહારથી લોકાલોક પ્રતિબિંબિત થયા.-તેથી એમ કહ્યું કે આ સમાધિ ચારિત્ર વિવક્ષામાં બારમાં ગુણસ્થાનના અંતે છે. કેવળ (જ્ઞાન) માં વ્યક્ત છે ત્યાં સાધકઅવસ્થા નથી, પ્રગટ પરમાત્મા છે. આ અસંપ્રજ્ઞાત સમાધિના ભેદ જાણવા. સાધક અવસ્થામાં, કહેવાયેલા [ શબ્દ ], જ્ઞાનાદિ ત્રણ ભેદ અહીં પણ લગાડવા.
સમાધિના આ તેર ભેદ છે તે પરમાત્મપદ પામવાના સાધક છે.
આ ગ્રંથમાં પહેલાં તો પરમાત્માનું વર્ણન કર્યું (અને) પછી પરમાત્મપદની પ્રાપ્તિનો ઉપાય દેખાયો. જે પરમાત્માનો અનુભવ કરવાને ચાહે તે આ ગ્રંથને વારંવાર વિચારે;
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com