________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિનું વર્ણન
: ૧૨૧ :
અભેદ નિશ્ચલ સ્વરૂપભાવ(રૂપ ) દ્રવ્યમાં અથવા ગુણમાં કે જ્યાં વિતર્કણા નથી, (અને) નિશ્ચળતામાં નિર્વિકલ્પ નિર્ભેદ ભાવના (છે), એકાગ્ર, સ્વસ્થિર, સ્વપદમાં લીનતા છે, ત્યાં નિર્વિતર્ક સમાધિ કહીએ.
નિર્વિતર્ક એવો શબ્દ છે. ‘નિર્વિતર્ક એટલે તર્કરહિત સ્વપદમાં લીનતા–એવો તેનો અર્થ છે, અને તેનું જ્ઞાન તે જ્ઞાન છે. ત્રણ ભેદો આમાં પણ લગાડવા.
૮. નિર્વિચા૨-અનુગત સમાધિ. હવે, નિર્વિચાર-અનુગત સમાધિ કહીએ છીએ:
અભેદ સ્વાદમાં એકત્વ અવસ્થા જાણી, ત્યાં વિચાર નથી, સ્વરૂપ ભાવનાની નિશ્ચળવૃત્તિ થઈ છે, દ્રવ્યમાં હોય તોય નિશ્ચળ છે, ગુણભાવના હોય તોય નિશ્ચળ છે અને પર્યાયવૃત્તિ પણ નિશ્ચળ છે, રાગાદિ વિકાર મૂળમાંથી ગયા સહજાનંદ સમાધિ પ્રગટી, નિજ વિશ્રામ પ્રાપ્ત થયો, વિશુદ્ધ વિશુદ્ધ થતો ગયો, સ્થિરતા થઈ, નિર્વિકલ્પદશા થઈ; અર્થથી અર્થાતર, શબ્દથી શબ્દાંત૨ કે જોગથી જોગાંત૨ ( એવો ) વિચાર મટયો, ભેદ વિચારરૂપ વિકલ્પથી છૂટયો અને પરમાત્મદશાની નજીક આવ્યો. (−આવી દશાને ) નિર્વિચાર સમાધિ કહીએ.
નિર્વિચાર એવો શબ્દ, ‘વિચાર રહિત, એવો તેનો અર્થ (અને તેનું) જાણપણું તે જ્ઞાન-એ ત્રણે ભેદ (અહીં પણ ) લગાડવા. ૯. નિરાનંદ-અનુગત સમાધિ.
હવે નિરાનંદ-અનુગત સમાધિ કહીએ છીએ:
સંસાર-આનંદ સર્વ છૂટયો, ઇંદ્રિયજનિત વિષયવલ્લભ- દશા ગઈ, વિકલ્પવિચારદ્વારા જે આનંદ હતો તે મિથ્યા જાણ્યો, પરમિશ્રિત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com