________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનંત સંસાર કેમ મટે ? ': ૧૦૭ : (તેને) એકદેશ શુદ્ધતા જાણવી.
હવે, પાંચમા ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાન સંબંધી રાગાદિક ગયા તેટલી અશુદ્ધતા ગઈ અને સ્થિરતા ચઢતી ગઈ; ત્યાં એકદેશ સ્થિરતા થતાં એક દેશ સંયમ નામ પામ્યો.
છઠ્ઠી ગુણસ્થાનમાં પ્રત્યાખ્યાન (આવરણ સંબંધી રાગાદિક ) નો અભાવ થયો અને સ્થિરતા વિશેષ થઈ; સકળ આકુળતાનું કારણ સકળ પાપ છે, તેનો અભાવ થયો; પણ અશુભભાવ એવો ગૌણતારૂપ થઈ ગયો કે દુર્ગતિના કારણરૂપ પાપબંધ થતો નથી. (ત્યાં) શુભ મુખ્ય છે (ને) શુદ્ધ ગૌણ છે. શુદ્ધ ગૌણ હોવા છતાં પણ તે મુખ્યતાને દોરે છે તેથી મુખ્ય જેવું જ કામ કરે છે. (શુદ્ધ) ગૌણ હોવા છતાં પણ તે બલિષ્ઠ છે.
છઠ્ઠાવાળાને ભેદવિજ્ઞાનના વિચારમાં શુદ્ધોપયોગરૂપ સાતમું (ગુણસ્થાન) જલદી થાય છે. શુભ ઉપયોગમાં ગર્ભિત શુદ્ધતા છે તેથી સાતમાનું સાધક છઠું છે. (છઠ્ઠી ગુણસ્થાને) ક્રિયા [અને] ઉપદેશ હોય છે પરંતુ વિશેષ સ્થિરતાને લીધે [ત્યાં] સકલવિરતિ સંયમ નામ પામે છે.
સાતમા ગુણસ્થાનથી શરૂ કરીને આગળ આગળ વીતરાગ નિર્વિકલ્પ સમાધિ વધતી ગઈ, નિષ્પમાદ દશા થઈ, પોતાના સ્વભાવનો રસાસ્વાદ મુખ્ય થયો અને વધતા વધતા ગુણસ્થાન અનુસાર વધ્યો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com