________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
- ઘાતાના વિચાર
જ્ઞાતાના વિચાર
જ્ઞાતા એવો વિચાર કરે છે કે ઉપયોગ શેયોનું અવલંબન કરે છે, યાવલંબી થાય છે. શેયને અવલંબનારી શક્તિ શેયનું અવલંબન કરીને છોડી દે છે. જ્ઞયનો સંબંધ અસ્થિર છે, જ્ઞયપરિણામ પણ છૂટી જાય છે; તેથી શય, યપરિણામ નિજ વસ્તુ નથી. જ્ઞયને અવલંબનારી શક્તિને ધરનારી ચેતનાવસ્તુ છે. શેય (સાથે) મળવાથી અશુદ્ધ થઈ, પરંતુ શક્તિ શુદ્ધ ગુપ્ત છે. જે શુદ્ધ છે તે રહે છે, અશુદ્ધ છે તે રહેતું નથી, માટે અશુદ્ધ (તો) ઉપરનો મળ છે. અને શુદ્ધ (તે) સ્વરૂપની શક્તિ છે. જેમ સ્ફટિક વિષે લાલ રંગ દેખાય છે (તે) સ્ફટિકનો સ્વભાવ નથી તેથી મટી જાય છે, સ્વભાવ (છે તે) જતો નથી.
જેમ મયૂર (પ્રતિબિંબવાળા) અરીસામાં મોર પદાર્થ દેખાય છે, પણ (ખરેખર અરીસામાં) મોર પદાર્થ નથી, અરીસામાં તો માત્ર પ્રતિબિંબ છે. કર્મદષ્ટિમાં આત્મા પરસ્વરૂપ થયેલો ભાસે છે પરંતુ આત્મા પર થતો નથી.
જેમ ધતૂરાને પીવાથી દષ્ટિ વ્યંત શંખને પીળો દેખે છે, પરંતુ (તે) દષ્ટિ વિકાર છે, દષ્ટિનાશ નથી. તેમ (જીવ) મોહની ઘેલછાથી પરને પોતા ( રૂપ) માને છે પરંતુ તે પોતા- (રૂપ) થતું નથી.
જેમ કઠિયારાને ચિંતામણિ પ્રાપ્ત થયો, (પણ) તેની પરીક્ષા ન જાણી, તોપણ ચિંતામણિનો પ્રભાવ ન ગયો. તેમ [ જીવે] અજ્ઞાનથી સ્વરૂપનો મહિમા ન જાણ્યો તોપણ સ્વરૂપનો પ્રભાવ ન ગયો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com