________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એક સમયનાં કારણ-કાર્યમાં ત્રણ ભેદ : ૯૩ : (૫) “દ્રવત્વયોતિ દ્રવ્ય' (એટલે કે દ્રવત્વના યોગથી દ્રવ્ય છે)-દ્રવત્વગુણ કારણ છે અને દ્રવ્ય કાર્ય છે.
દ્રવ્યનાં કારણકાર્ય દ્રવ્યમાં જ છે, કેમ કે દ્રવ્ય પોતે જ પોતાના કારણ સ્વભાવપણે પરિણમીને પોતાના કાર્યને પોતે જ કરે છે. દ્રવ્યમાં જો કારણકાર્ય ન હોય તો દ્રવ્યપણે કેવી રીતે રહે? માટે સંસારમાં જેટલા પદાર્થો છે તે તે સર્વે પોતપોતાનાં કારણ-કાર્યને કરે છે તેથી જીવદ્રવ્યના કારણ-કાર્યવડે જીવનું સર્વસ્વ પ્રગટે છે જે કાંઈ છે તે કારણ-કાર્ય જ છે [અર્થાત્ કારણ કાર્યમાં બધું આવી જાય છે]. હવે ગુણના કારણે કાર્ય કહીએ છીએ:
ગુણનાં કારણકાર્ય (૧) દ્રવ્ય-પર્યાય તે ગુણનું કારણ છે અને ગુણ કાર્ય છે;
(૨) કેવળ દ્રવ્ય-પર્યાય (ગુણનું ) કારણ છે એટલું જ નહિ પરંતુ ગુણ પણ ગુણનું કારણ છે અને ગુણ જ કાર્ય છે. એક સત્તાગુણ સર્વે ગુણોનું કારણ છે અને સર્વે ગુણો (તેનું) કાર્ય છે. એક સૂક્ષ્મતત્વ) ગુણ સર્વે ગુણોનું કારણ છે અને સર્વે ગુણો કાર્ય છે. એક અગુરુલઘુ ગુણ સર્વે ગુણોનું કારણ છે અને સર્વે ગુણો કાર્ય છે એક પ્રદેશત્વગુણ સર્વે ગુણોનું કારણ છે અને સર્વે ગુણો કાર્ય છે, આજ પ્રકારે એકેક ગુણ સર્વે ગુણોનું કારણ છે અને સર્વે ગુણો કાર્ય છે.
(૩) હવે તે જ ગુણનાં કારણ (કાર્યો તેમાં કહીએ છીએ:સત્તાનું નિજ કારણ સત્તામાં જ છે; સત્તા દ્રવ્ય-ગુણ-પર્યાયનાં હોવાપણારૂપ લક્ષણવાળી છે, તેથી ઉત્પાદ-વ્યય-ધ્રુવ કે જે સત્તાનું લક્ષણ છે તે-સત્તાનું કારણ છે અને સત્તા કાર્ય છે. એ જ પ્રમાણે અગુરુલઘુત્વગુણ નિજકારણવડ નિજકાર્યને કરે છે. તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com