________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૮૧ દષ્ટિના ધારક છે. રાગ હોવા છતાં રાગથી પાર એમની જ્ઞાન-ચેતના છે તેને કોઈ વિરલા જ ઓળખે છે.
ભાવલિંગી મુનિઓમાં પણ જે નિર્વિકલ્પ ધ્યાનમાં લીન છે એવા શુદ્ધોપયોગીને તો ઉત્તમ અંતરાત્મામાં ગણ્યા, અને શુભોપયોગીમુનિને મધ્યમ અંતરાત્મામાં ગણ્યા, અરે, મહાવ્રતાદિની કોઈ શુભવૃત્તિ આવી તે પણ ઉત્તમ અંતરાત્મામાં પાલવતી નથી, તો બીજા રાગની શી વાત! પ્રવચનસારમાં પણ કહ્યું છે કે મોક્ષમાર્ગમાં શુદ્ધોપયોગી મુનિઓ મુખ્ય છે અગ્રેસર છે, ને શુભોપયોગી મુનિઓને તો તેમની પાછળ-પાછળ સ્વીકારવામાં આવ્યા છે. છે તો તેઓ બંને મોક્ષમાર્ગી, પરમેષ્ઠી ભગવાન; તેમાં શુભવાળા મુનિ પણ ભાવલિંગી છે, –તેની વાત છે. જેને સમ્યગ્દર્શનાદિ નથી તેમને તો મોક્ષમાર્ગમાં સ્વીકાર્યા જ નથી, તેઓ તો બંધમાર્ગે ચાલનારા બહિરાત્મા છે.
બહિરાત્મા, અતંરાત્મા, પરમાત્મા–આ ત્રણ પ્રકારમાં જગતના બધા જીવો આવી જાય છે. જીવતત્ત્વની શ્રદ્ધામાં તેની ઓળખાણ સમાઈ જાય છે. જે પોતે શુદ્ધોપયોગમાં લીન છે તેને તો બીજા જીવોનો વિચાર તે વખતે નથી; તેમજ ત્રણ ભેદ ઉપર લક્ષ નથી; પણ જે સવિકલ્પદશામાં છે તે, વ્યવહારજીવની શ્રદ્ધામાં આવા ત્રિવિધ આત્માનું સ્વરૂપ વિચારે છે. આવો યથાર્થ વિચાર કરનારો અંતરાત્મા છે. બહિરાત્માને કે પરમાત્માને આવો વિચાર નથી, કેમકે બહિરાત્મા તો તેનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com