SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વીતરાગવિજ્ઞાન ભાગ-૩] [૬૯ ભાઈ વિચાર તો કર કે રૂપિયા, મકાન, મોટર વગેરે પદાર્થો તો જીવતત્ત્વ છે? –કે અજીવ? એ તો અજીવ છે. તો શું અજીવમાં કદી સુખ હોય? ના, એનામાં સુખ કદી છે જ નહિ, તો તે તને ક્યાંથી સુખ આપે? માટે અજીવમાં-પરમાં સુખબુદ્ધિ છોડ. હવે તે અજીવ તરફના વલણનો તારો ભાવ, (–પછી તે અશુભ હો કે શુભ) તેમાં પણ આકુળતા ને દુઃખ જ છે, તેમાં કાંઈ ચૈતન્યના આનંદનું વદન તો નથી. -માટે તે પરલક્ષ શુભાશુભભાવોમાંય સુખબુદ્ધિ છોડી દે. સુખથી ભરેલો તારો આત્મસ્વભાવ, તેમાં ઉપયોગ જડતાં જ સ્વલક્ષે પરમ આનંદ અનુભવાય છે. જાઓ, સાતતત્ત્વને જાણવામાં આ વાત આવી જાય છે. - જ્ઞાન ને આનંદ જેમાં છે તે જીવતત્ત્વ; તેની સન્મુખતાથી આનંદ અનુભવાય–તેમાં સંવરનિર્જરા-મોક્ષ આવ્યા. જ્ઞાન ને સુખ જેમાં નથી તે અજીવતત્ત્વ; તેની સન્મુખતાથી આકુળતા અનુભવાય છે-તેમાં પુણ્ય-પાપ-આસ્રવ ને બંધ આવી ગયા. આ રીતે તત્ત્વોનું પૃથક્કરણ કરીને સમજે તો મોક્ષમાર્ગનો સાચો નિર્ણય થયા વગર રહે નહીં. ગાગરમાં સાગરની જેમ આ છહુઢાળાના નાના પુસ્તકમાં ઘણા શાસ્ત્રોનો Please inform us of any errors on [email protected]
SR No.008228
Book TitleDhhadhala Pravachana 3
Original Sutra AuthorN/A
AuthorDaulatram Kasliwal, Kanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1972
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy