SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮] [ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ તેઓ અનંતા છે. અરિહંત અને સિદ્ધપરમાત્મા આત્માના અનંત સુખને અનુભવે છે. –આમ ત્રણ પ્રકારમાંથી બહિરાત્મપણાને હેયરૂપ જાણીને છોડવું; અંતરમાં દેહથી ભિન્ન શુદ્ધ પરમસ્વરૂપને ઓળખીને અંતરાત્મા થવું અને નિરંતર તેના જ ધ્યાનવડ પરમાત્મા થઈને નિત્ય અનંત આનંદનો અનુભવ કરવો. દરેક જીવમાં આવા પરમાત્મા થવાની તાકાત છે. કોઈ કહે કે અમે ગામડામાં રહીએ, ધંધા-વેપારમજુરીમાં જીવન વીતાવીએ, ને આ પરમાત્મા થવાની આવડી મોટી વાત આપ સમજાવો છો ! તો કહે છે કે-હા, ભાઈ ! તું ગામડામાં નથી રહ્યો, તું તો તારા અનંતગુણના મોટા વૈભવમાં રહ્યો છો. દુ:ખથી છૂટવા માટે આત્માની દરકાર કરીને જે સમજવા માંગે તે દરેકને સમજાય તેવી આ વાત છે. તારા સ્વરૂપમાં જે છે તે જ તને બતાવીએ છીએ, એનાથી વિશેષ કાંઈ નથી કહેતા. બાપુ! જીવનમાં આ વાત લક્ષમાં લેવા જેવી છે, બાકી તો બધું થોથાં છે, તેમાં આત્માનું કાંઈ હિત નથી. પૈસા કમાવા ખાતર મજુરીમાં જીવન વીતાવે છે પણ એ કરોડો રૂપિયામાં કે બંગલા-મોટરમાં ક્યાંય સુખનો છાંટોય નથી, અરે! સ્વર્ગમાંય સુખ નથી ત્યાં મનુષ્યલોકના વૈભવની શી વાત! સુખ તો આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન ચારિત્રમાં જ છે, બાકી બહારનાં કોઈ પણ પદાર્થના લક્ષે તો આકુળતા ને દુ:ખ જ છે. Please inform us of any errors on [email protected]
SR No.008228
Book TitleDhhadhala Pravachana 3
Original Sutra AuthorN/A
AuthorDaulatram Kasliwal, Kanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1972
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy