________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૬૧ સાચી, પણ સામાયિક હોવી જોઈએ ? સામાયિકને બદલે રાગ-દ્વેષ-અજ્ઞાન ભાવોને સામાયિક માની લ્યે એને કાંઈ ધર્મ ન થાય, એને તો અજ્ઞાનની પુષ્ટિ થાય. સામાયિકના નામે રાગને સેવે એને કાંઈ ધર્મ ન થાય. રાગ વગરનો સમભાવી-જ્ઞાનસ્વરૂપી આત્મા કેવો છે તેની જેની ઓળખાણ હોય ને એવા આત્માના ધ્યાનમાં એકાગ્રતાના ઉદ્યમ વડે રાગ-દ્વેષના વિષમ ભાવો ઉત્પન્ન જ ન થાય ને વીતરાગી સમભાવ રહે, તેનું નામ સામાયિક ધર્મ છે ને તે મોક્ષનું કારણ છે. આવી સામાયિકને ઓળખે પણ નહિ, રાગથી ભિન્ન આત્માને જાણે પણ નહિ એવા અજ્ઞાનીને કદી સામાયિક હોતી નથી. જેમ કોઈ છાણું ખાય અને માને કે હું ગોળ ખાઉં છું-તો તે મૂરખમાં ગણાય, તેમ અજ્ઞાની શુભરાગ કરે છે અને માને છે કે હું સામાયિકધર્મ કરું છું. -આવા અજ્ઞાનને લીધે જીવ સંસારમાં ચારગતિના દુ:ખ ભોગવી રહ્યો છે, તેનાથી કેમ છૂટાય-તેની આ વાત છે. સમ્યગ્દર્શનપૂર્વક વીતરાગસ્વરૂપમાં ઠરવું તેને ભગવાને સામાયિક કહી છે, ને તેને મોક્ષમાર્ગ કહ્યો છે; બે ઘડીની સામાયિક મોક્ષ આપે એવો તેનો મહિમા છે. -પણ સમ્યગ્દર્શન વગર સામાયિક કેવી? ને મોક્ષમાર્ગ કેવો?
પ્રશ્ન:- જીવ અનંતવાર નવમી ત્રૈવેયકમાં ગયો ત્યારે તેણે નવતત્ત્વની શ્રદ્ધા તો કરી હતી, છતાં તે સંસારમાં કેમ રખડયો ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com