________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ વ્યવહાર કહ્યો; અને તે જ વખતે સાથે પોતાના શુદ્ધ આત્માની રાગરહિત નિર્વિકલ્પ પ્રતીત વર્તે છે તે સમ્યગ્દર્શન નિશ્ચયથી છે. આ નિશ્ચય સમ્યગ્દર્શન તે મોક્ષનું સાચું કારણ છે.
જુઓ ભાઈ ! પોતાના આત્માના સાચા સ્વરૂપનો નિર્ણય કરવા માટે, સર્વજ્ઞ ભગવાને કહેલા આવા તત્ત્વોનું શ્રવણ કરવું જોઈએ, અંતરમાં તેનો વિચાર-વિવેક અને ઓળખાણ કરીને દઢ નિર્ણય કરવો જોઈએ; તત્ત્વમાં ક્યાંય જરાય વિપરીતતા ન રહે એવો ચારેકોરથી ચોકખો નિર્ણય કરવો જોઈએ. સર્વજ્ઞ વીતરાગદેવ અરિહંત પરમાત્માએ જે ધર્મ કહ્યો અને જીવનું જેવું સ્વરૂપ કહ્યું તેની ઓળખાણ વગર બીજી રીતે ધર્મ માની લે તેમાં કાંઈ ધર્મ થાય નહીં; એ તો શુભ-અશુભમાં ફરી-ફરીને ત્યાં ને ત્યાં રહે છે,
ક્યાં? –કે સંસારમાં જ. સમ્યગ્દર્શન વગર રાગમાં કે દેહની ક્રિયામાં સામાયિક વગેરે ધર્મ માની ત્યે તેને તો જીવઅજીવની ભિન્નતાનું પણ ભાન નથી. રાગથી ભિન્ન આત્માનું જેને ભાન નથી તેને રાગના અભાવરૂપ સામાયિક કેવી?
પ્રશ્ન:- ગોળ તો જ્યારે ખાય ત્યારે ગળ્યો જ લાગે, અંધારામાં પણ તે ગળ્યો જ લાગે; તેમ સામાયિકથી તો ધર્મ જ થાય, ભલે સામાયિક કરનાર અજ્ઞાની હોય!
ઉત્તર- ભાઈ, ગોળ ગળ્યો લાગે એ વાત સાચી, પણ ગોળ હોવો જોઈએને? ગોળને બદલે છાણાંના કટકાને ગોળ માનીને ખાય તો ? તેમ સામાયિકથી ધર્મ થાય એ વાત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com