________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૪૯ તેને તો સમ્યગ્દર્શનની કે ચારિત્રની એકેયની ખબર નથી. ભાઈ ! શ્રદ્ધા વગર ચારિત્ર કેવું? આત્માને જાણ્યા વગર તું લીન શેમાં થઈશ? ચારિત્રનું મૂળકારણ તો સમ્યગ્દર્શન અને જ્ઞાન છે; તેને બદલે શુભરાગને જ તે ચારિત્ર માની લીધું, અને પાછો તે શુભરાગરૂપ ચારિત્રને તે સમ્યગ્દર્શનનું કારણ માન્યું, –એટલે તારે તો આખો મોક્ષમાર્ગ રાગરૂપ જ થયો, એમાં વીતરાગતા કે શુદ્ધાત્માનો આશ્રય કરવાનું તો ક્યાંય આવ્યું નહીં. સ્વદ્રવ્યના આશ્રયરૂપ વીતરાગતા વગર મોક્ષમાર્ગ કેવો? શુદ્ધાત્માના જ આશ્રયે સાચા સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર છે, ને તે જ મોક્ષમાર્ગ છે.
સમયસાર ગા. ૨૭૬-૨૭૭ માં કહે છે કે-શુદ્ધઆત્મા તે જ્ઞાન છે કારણ કે તે જ્ઞાનનો આશ્રય છે, શુદ્ધઆત્મા તે દર્શન છે કારણ કે તે દર્શનનો આશ્રય છે, શુદ્ધઆત્મા તે દર્શન છે કારણ કે તે દર્શનનો આશ્રય છે, અને શુદ્ધઆત્મા તે ચારિત્ર છે કારણ કે તે ચારિત્રનો આશ્રય છે. –આ પ્રમાણે નિશ્ચય છે. શુદ્ધઆત્માના જ આશ્રયે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે એટલે અભેદપણે તે ત્રણેને શુદ્ધઆત્મા જ કહી દીધો.
શાસ્ત્રોનું જ્ઞાન , નવપદાર્થોની શ્રદ્ધા અને પંચમહાવ્રતના શુભભાવરૂપ ચારિત્ર તે વ્યવહાર છે; કેમકે તે હોવા છતાં-જો શુદ્ધાત્માનો આશ્રય ન હોય તો-સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર નથી હોતા.
- માટે પરાશ્રિત એવો વ્યવહાર તે મોક્ષમાર્ગમાં નિષેધ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com