________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ તો તેમાં વિરોધ નથી?
ઉત્તર:- ના; સાચો મોક્ષમાર્ગ એક જ છે, અને બીજો કોઈ ખરેખર મોક્ષમાર્ગ નથી–એમ નિર્ણય કરીને સાચા મોક્ષમાર્ગને જ મોક્ષમાર્ગરૂપે ગ્રહણ કરવો, તે જ અવિરુદ્ધપણું છે. પણ, નિશ્ચયમોક્ષમાર્ગ તે પણ માર્ગ છે, અને વ્યવહાર-મોક્ષમાર્ગ તે પણ માર્ગ છે-એમ બંનેને સાચાં માનીને અંગીકાર કરતાં તો વિરોધ આવે છે. એક નિશ્ચયમોક્ષમાર્ગ તે સાચો માર્ગ છે અને બીજો માર્ગ કહેવો તે તો માત્ર ઉપચાર છે, તે સાચો માર્ગ નથી, –એમ ઓળખતાં જ સાચા મોક્ષમાર્ગનું જ્ઞાન થાય છે, અને તેમાં જ બંને નયોના સાચા અર્થનો સ્વીકાર થાય છે.
આત્માના શુદ્ધ સ્વભાવની અનુભૂતિસ્વરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો જે શુદ્ધ વીતરાગ પરિણામ છે તે તો સાચો મોક્ષમાર્ગ છે એટલે નિશ્ચયથી ખરેખર તે મોક્ષમાર્ગ છે; અને ત્યાં, જે સાચો મોક્ષમાર્ગ તો નથી પણ મોક્ષમાર્ગની સાથે નિમિત્તપણે વર્તે છે તેને પણ મોક્ષમાર્ગ કહેવો તે વ્યવહાર છે. “ સો વવદારો' – વ્યવહારને નિશ્ચયમોક્ષમાર્ગનું કારણ કહ્યું તે પણ ઉપચાર છે એટલે નિમિત્તરૂપ છે-એમ સમજવું. જેમ ઉપાદાન વગરનું નિમિત્ત તે ખરેખર નિમિત્ત નથી, તેમ નિશ્ચયની અપેક્ષા વગરનો વ્યવહાર તે ખરેખર વ્યવહાર નથી. નિશ્ચય વગર એકલો વ્યવહાર હોતો નથી, એટલે પહેલાં એકલો વ્યવહાર હોય ને તેનાથી નિશ્ચય પમાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com