________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રર ]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ છે. –આવી નિશ્ચય-વ્યવહારની સંધિ મોક્ષમાર્ગમાં છે. આમાં નિશ્ચય વગરના વ્યવહારની તો વાત જ નથી, અને નિશ્ચય સહિતનો જે વ્યવહાર છે. તે પણ ખરું મોક્ષનું કારણ નથી, ઉપચારથી જ તે કારણ છે. ખરું મોક્ષનું કારણ તો નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે કે જે આત્માના જ અનુભવરૂપ
મોક્ષમાર્ગમાં પહેલાં સમ્યગ્દર્શન ને પછી સમ્યજ્ઞાન એમ નથી, તેમ જ પહેલાં સમ્યજ્ઞાન ને પછી સમ્યગ્દર્શન એમ પણ નથી; શુદ્ધઆત્માના અવલંબને બંને એક સાથે જ થાય છે, પણ દીપક અને પ્રકાશની માફક તેમનામાં કારણ કાર્યપણું કહેવામાં આવે છે; સમ્યગ્દર્શનને કારણ અને સમ્યજ્ઞાનને કાર્ય કહેવાય છે, –પણ તેમનામાં પહેલાંપછીપણું નથી, બંને સાથે જ છે. સ્વયને પકડવાના જ્ઞાનની સાથે તેની નિર્વિકલ્પપ્રતીત વર્તે જ છે. જેની પ્રતીત કરે છે તેનું સાચું જ્ઞાન પણ સાથે છે જ. જાણ્યા વગરની શ્રદ્ધાને તો ગદ્ધાભાઈના શીંગડા જેવી અસત્ય કહેવામાં આવી છે.
સમ્યગ્દષ્ટિના જ્ઞાનમાં જ નિશ્ચય ને વ્યવહાર એવા બે નયો હોય છે, સમ્યગ્દષ્ટિના તે બંને નયો સાચાં છે. અજ્ઞાનીને એકેય નય સાચો નથી. ધર્મીના બે નયોમાં જે નિશ્ચયનય છે તે તો સત્ય વસ્તુ સ્વરૂપ બતાવે છે ને વ્યવહાર તો નિમિત્ત વગેરેનું જ્ઞાન કરાવે છે. શ્રુતજ્ઞાનમાં અનંતનયો સમાય છે, પણ સાધકજીવ અનંતનયના ભેદ પાડીને જાણી શકે નહીં. પ્રયોજન સાધવા માટે ટૂંકામાં બે નય-એક સ્વાશ્રિત સ્વરૂપને
અશાય છે તે
વગેરેનું
જીવ એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com