________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ જ ભવના અંતનો ઉપાય છે, તેનાથી જ મોક્ષ પમાય છે.
મોક્ષના માર્ગમાં ભાવશ્રુતજ્ઞાન હોય છે, તે પણ આનંદના સ્વાદથી ભરેલું છે ને અસંવેદનરૂપ પ્રત્યક્ષ છે. જેમ કેવળ-જ્ઞાન પ્રમાણ છે તેમ શ્રુતજ્ઞાન પણ પ્રમાણ છે; પરોક્ષ હોવા છતાં તે પ્રમાણ છે, ને સ્વસંવેદનમાં તો તે પ્રત્યક્ષ પણ છે. પોતાના આત્માના અનુભવને સાધકજીવ સ્વસંવેદનરૂપ પ્રત્યક્ષ-પ્રમાણથી જાણે છે, તેમાં તેને કોઈ સન્દર્યું નથી. પરોક્ષરૂપ પ્રમાણજ્ઞાન પણ સંદેહ વગરનું હોય છે. કેવળજ્ઞાન જેવી જ જાતનું, વસંવેદન-પ્રત્યક્ષરૂપ ભાવશ્રુતજ્ઞાન હોય ત્યારે જ મોક્ષમાર્ગ થાય, અને તે જીવને જ સાચા નિશ્ચય-વ્યવહાર નિયો હોય.
સમ્યફચારિત્ર તે મુખ્ય મોક્ષમાર્ગ છે. ચારિત્ર એટલે સ્થિરતા શેમાં? નિજસ્વરૂપમાં નિજસ્વરૂપ શું છે તેના જ્ઞાન વગર સ્થિરતા હોય નહીં.
સંસારના કારણરૂપ એવા શુભાશુભ રાગથી નિવૃત્ત થઈને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં પ્રવર્તવું તે સમ્યક્રચારિત્ર છે. જ્ઞાનપૂર્વક જ આવું ચારિત્ર હોય છે, અજ્ઞાનીને હોતું નથી. –એમ બતાવતા તેને “સમ્યક” કહેલ છે.
આત્મા જ્ઞાનધાતુની વીતરાગી ખાણ છે, રાગ તેનાથી જુદી વસ્તુ છે. રાગાદિ વિકલ્પો તે તો અચિધાતુ છે. અરે! આ અચિધાતુનો આભાસ તો જુઓ! અજ્ઞાનીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com