________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩ સાથે ખુલ્યો, એટલે મોક્ષમાર્ગ શરૂ થયો. તે જીવને સાચા નિશ્ચય-વ્યવહાર હોય છે. પહેલાં એકલો વ્યવહાર હોય ને તે કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એમ નથી. ઉપયોગસ્વરૂપ શુદ્ધ આત્માના અવલંબને જે શુદ્ધ દર્શન-શાન-ચારિત્ર પ્રગટયા તે શુદ્ધ મોક્ષમાર્ગ છે, અને તેની સાથે જે રાગાદિ છે તે અશુદ્ધ છે, તેને મોક્ષમાર્ગનું કારણ કહેવું તે ઉપચાર છે.
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યધાતુ, તેણે અનંત આનંદને પોતામાં ધારણ કર્યો છે, તે ચૈતન્યસમુદ્રમાં ડુબકી લગાવતાં મોક્ષના આનંદનો અનુભવ થાય છે. આવા આનંદનો અનુભવ થાય ત્યારે જ મોક્ષમાર્ગ પ્રગટયો કહેવાય. આત્મા તો રત્નોનો મોટો પહાડ છે; એને ખોદતા (એટલે કે અનુભવમાં લેતાં) તેમાંથી મહાન રત્નો જ નીકળે છે. અનંતા આનંદમય રત્નો તેમાં ભર્યા છે.
* જગતમાં જડ રત્નોની તો ધર્મમાં કાંઈ કિંમત
નથી.
* હવે આત્મામાં મોક્ષનાં કારણરૂપ ત્રણ રત્નોસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર.
* તેનું ફળ કેવળજ્ઞાનદિ ચતુષ્ટય-તે મહારત્ન.
* અનંતી કેવળજ્ઞાનપર્યાયરૂપે પરિણમવાની જેની તાકાત-એવો જ્ઞાનગુણ તે મહા-મહારત્ન.
* અને અનંત ગુણરત્નોથી ભરેલો ચૈતન્યસમુદ્ર તે તો મહા-મહા-મહારત્ન.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com