________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૫
વીતરાગવિજ્ઞાન ભાગ-૩] . રૂપ અંતર્મુખ શુદ્ધભાવ વડે તે સધાય છે. અને શુભભાવો તે તો બહિર્મુખ વૃત્તિઓ છે, તેના વડે મોક્ષ સધાતો નથી. નિશ્ચય મોક્ષમાર્ગ સ્વાશ્રિત ભાવથી વીતરાગ પ્રગટે છે; અને તે નિશ્ચયસહિતના વ્યવહારને ઉપચારકારણ કહેવાય છે. નિશ્ચય તે મુખ્ય છે, તે સત્ય છે; વ્યવહાર તે આરોપ છે, ગૌણ છે. પરિણતિ અંતરમાં ઝૂકે ને જ્ઞાયકસ્વભાવમાં ઊતરીને લીન થાય તેમાં અતીન્દ્રિયસુખનું વેદન છે, તે સાચો-પરમાર્થ-નિશ્ચય મોક્ષમાર્ગ છે, અને તે જ શુદ્ધમાર્ગ છે. આવા માર્ગને સેવીને તીર્થંકરાદિ મહાપુરુષો મોક્ષસુખને પામ્યા છે; અને મુમુક્ષુઓને પણ એ જ માર્ગ દેખાડયો છે.
મિથ્યાષ્ટિને નિશ્ચય કે વ્યવહાર એકેય નય સાચો હોતો નથી, કેમકે નય તો સાચા જ્ઞાનનો પ્રકાર છે. શુદ્ધ આત્માના જ્ઞાન વગર પ્રમાણજ્ઞાન થાય નહીં એટલે ભાવકૃત થાય નહીં ને ભાવકૃતપ્રમાણ વગર નિશ્ચય કે વ્યવહાર નય હોય નહીં. આત્માનો સ્વાનુભવ થતાં મતિશ્રુત બને જ્ઞાન એક સાથે સમ્યક્ પરિણમે છે, તેમાંથી શ્રુતજ્ઞાનમાં અનંતપ્રકારના નયો પડે છે. નય તે સાચા શ્રુતજ્ઞાનનો પ્રકાર છે. પણ જ્ઞાન જ જેનું ખોટું હોય તેને નય કેવા? એટલે મિથ્યાષ્ટિ જેને વ્યવહાર તરીકે સેવે છે તે તો ખરેખર મોક્ષમાર્ગનો વ્યવહાર પણ નથી. નિશ્ચય વગરનો વ્યવહાર તો મિથ્યા છે. શુદ્ધ આત્મા જેવો છે તેવો જાણીને પ્રતીતમાં લીધે ત્યારે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થયું, ચારિત્રનો અંશ પણ તેની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com