________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૨૪૮]
૬૯૪. આત્માનો સ્વભાવ દુ:ખનું કારણ થાય ? ના, આત્માનો સ્વભાવ સુખનું જ કારણ છે. ૬૯૫. રાગ કે પુણ્ય કદી સુખનું કારણ થાય ?
ના, રાગ અને પુણ્ય તો સદાય દુ:ખનું જ કારણ છે. ૬૯૬. આમ જાણનાર જીવ શું કરે છે?
પુણ્ય-પાપથી જુદો પડીને આત્મા તરફ વળે છે. ૬૯૭. પુણ્યથી ભવિષ્યમાં સુખ મળશે એ સાચું? -ના. ૬૯૮. અજ્ઞાનીઓ કોને આદરે છે? -પુણ્યને. ૬૯૯. જ્ઞાની કોને આદરે છે?
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
પુણ્ય-પાપ વગરની જ્ઞાનચેતનાને. ૭૦૦. આત્માને એકકોર મુકીને ધર્મ થઈ શકે?
કદી ન થાય; આત્માને ઓળખીને જ ધર્મ થાય. ૭૦૧. સમ્યગ્દર્શનનાં નિમિત્ત કોણ છે?
સાચાં દેવ-ગુરુ-ધર્મ જ સમ્યક્ત્વનાં નિમિત્ત છે. ૭૦૨. ગુણ શું? પર્યાય શું? દ્રવ્ય શું?
ટકે તે ગુણ, પલટે તે પર્યાય, ગુણ-પર્યાયવંત દ્રવ્ય. ૭૦૩. વીતરાગી દેવ કોણ ? – અરિહંત અને સિદ્ધ. ૭૦૪. નિગ્રંથ ગુરુ કોણ ? -આચાર્ય-ઉપાધ્યાય-સાધુ. ૭૦૫. સાચો ધર્મ ક્યો ? –સમ્યકત્વાદિ વીતરાગભાવ. ૭૦૬. ઈંડામાં જીવ છે?
હા, તે પંચેન્દ્રિય જીવ છે, તેનો આહાર તે માંસાહાર જ છે.
૭૦૭. વીતરાગમાર્ગમાં અહિંસા કોને કહે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com