________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
| [ ૨૩૧ ૫૦૭. અરિહંતના આત્માને ખરેખર ઓળખે તો શું થાય?
પોતાના આત્માનું સાચું સ્વરૂપ ઓળખાય, એટલે
દર્શનમોહનો નાશ થઈને સમ્યગ્દર્શન પ્રગટે. ૫૦૮. અરિહંત પ્રભુના દ્રવ્ય-ગુણ-પર્યાય કેવાં છે?
એ ત્રણે ચેતનમય છે. ૫૦૯. તેમાં ક્યાંય જરાય રાગ છે? ... ના. પ૧૦. એમ ઓળખતાં શું થાય?
પોતામાં ચેતન અને રાગની જુદાઈનો અનુભવ થાય. ૫૧૧. પોતાના શુદ્ધઆત્માની ઓળખાણ, અને
અરિહંતદેવની ઓળખાણ- તેમાં પહેલું કોણ?
–બંને સાથે થાય છે. ૫૧૨. તે ઓળખાણ ક્યારે થઈ ?
જ્ઞાનપર્યાય અંતરમાં વળી ત્યારે. પ૧૩. રાગવડ મોક્ષમાર્ગ શરૂ થાય?
ના, આત્માના અનુભવ વડે જ મોક્ષમાર્ગ શરૂ થાય. પ૧૪. ચૈતન્યપ્રભુને લક્ષમાં લેતાં શું થયું?
આત્મામાં આનંદસહિત કેવળજ્ઞાનના અંકૂરા ફૂટ્યા. પ૧૫. શુભરાગમાંથી જ્ઞાનનો અંકૂર આવે? – ના. પ૧૬, આનંદનો માર્ગ ક્યો છે?
આતમરામ નિજ પદમાં રમે તે આનંદનો માર્ગ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com