________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૨૨૯, ૪૮૬. વ્યવહારમોક્ષમાર્ગ કેવો છે?
તે ઉપચારથી નિશ્ચયનું કારણ છે. ૪૮૭. તેને ઉપચારથી કારણ કેમ કહ્યું?
તે મોક્ષમાર્ગનો સહકારી છે તેથી; (તે પોતે ખરો
મોક્ષમાર્ગ નથી પણ મોક્ષમાર્ગમાં સાથે રહેલ છે.). ૪૮૮. સાચું કારણ કેવું હોય?
સાચાં કારણ-કાર્ય એક જાતનાં હોય; એટલે શુદ્ધતાનું
કારણ શુદ્ધતા જ હોય, શુદ્ધતાનું કારણ રાગ ન હોય. ૪૮૯. સાચો મોક્ષમાર્ગ કેવો છે?
શુદ્ધ સ્વદ્રવ્યને આશ્રિત છે. ૪૯). ઉપચાર મોક્ષમાર્ગ કેવો છે?
પરદ્રવ્યને આશ્રિત છે. ૪૯૧. સાચો મોક્ષમાર્ગ જાણીને શું કરવું?
તેમાં લાગ્યા રહેવું (શિવમ નાયો ચરિy). ૪૯૨. નિશ્ચય-વ્યવહાર બંનેને ક્યારે જાણ્યા કહેવાય?
નિશ્ચયને એકને આદરે ત્યારે. ૪૯૩. નિશ્ચય માર્ગ કયો છે?
તે પોતાના શુદ્ધ ઉપાદાનથી પ્રગટેલો છે. ૪૯૪. વ્યવહાર માર્ગ કેવો છે? ....... તે પરાશ્રયે થયેલો છે. ૪૯૫. સાચા મોક્ષમાર્ગ કેટલા છે? ........ એક જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com