________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮]
[ વીતરાગવિજ્ઞાન-ભાગ ૩ ૪૭૬, ધર્મી જીવ શેમાં રાજી છે?
ધર્મી જીવ ઇન્દ્રપદના વૈભવમાંય રાજી નથી,
ચૈતન્યના આનંદમાં જ તે રાજી છે. ૪૭૭. જીવ હેરાન કેમ થઈ રહ્યો છે?
આત્મામાં સુખ છે-તેને ભૂલ્યો છે તેથી. ૪૭૮. બાહ્ય વિષયોમાંથી સુખ કેમ નથી મળતું?
ત્યાં સુખ છે જ નહિ પછી ક્યાંથી મળે? ૪૭૯. ધનવાન સુખી, દરિદ્ર દુઃખી-એ સાચું?
ના, નિર્મોહી સુખી ને મોહી દુઃખી. ૪૮). જડ વૈભવમાં સુખ છે?
ના, સુખ તે તો આત્માનો વૈભવ છે. ૪૮૧. ભગવાન સિદ્ધો અને અરિહંતો શું કરે છે?
બાહ્યસાધન વગર જ આત્માના આનંદને અનુભવે છે. ૪૮૨. મોક્ષના અર્થીએ શું કરવું જોઈએ?
મોક્ષના માર્ગે ચાલવું જોઈએ. ૪૮૩. મોક્ષનો માર્ગ શું છે?
વીતરાગ રત્નત્રય સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર. ૪૮૪. તે મોક્ષના માર્ગમાં રાગ આવે?
ના, રાગ તો બંધમાર્ગ છે, તે મોક્ષમાર્ગ નથી. ૪૮૫. સાચો-સત્યાર્થ મોક્ષમાર્ગ ક્યો છે?
જે નિશ્ચયમોક્ષમાર્ગ છે તે જ સત્યાર્થ-સાચો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com