________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૨૧૧ વગર કેવાં છે? – તો કહે છે કે તે સભ્યતા ન નડે એટલે કે સાચાં નથી પણ ખોટાં છે, તેના વડે મોક્ષમાર્ગ જરાય સધાતો નથી. સમ્યગ્દર્શનપૂર્વક જ સાચાં જ્ઞાન–ચારિત્ર હોય છે ને મોક્ષમાર્ગ સધાય છે, માટે તે ધર્મનું મૂળ છે.
અહો, આવા પવિત્ર સમ્યગ્દર્શનને હે ભવ્ય જીવો! તમે ધારણ કરો, બહુમાનથી તેની આરાધના કરો. હું સૂશસમજદાર આત્મા! તું સમજ, તે ચેતી જા, તું સાવધાન થા, અને પ્રમાદ વગર શીધ્ર સમ્યગ્દર્શન પ્રગટ કર. સમ્યગ્દર્શનનો આ ઉત્તમ અવસર છે, ફરીફરી આવો અવસર મળવો દુર્લભ છે. માટે આવો ઉત્તમ ઉપદેશ સાંભળીને, એક ક્ષણ પણ ગુમાવ્યા વગર અત્યારે જ અંતરમાં પોતાના શુદ્ધ આત્માની અખંડ અનુભૂતિ સહિત શ્રદ્ધા કરીને સમ્યગ્દર્શનના દીવડા પ્રગટાવ. હે ભવ્ય ! હે સુખના અભિલાષી મુમુક્ષુ! સુખ માટે તું આવા ઉત્તમ કાર્યને શીધ્ર કર. રે આત્મ તારો, આત્મ તારો ! શીધ્ર એને ઓળખો.”
'तीन भुवनमें जीव अनंत सुख चाहैं, दुःखतें भयवंत' સુખ કહો કે મોક્ષ કહો, તે સર્વે જીવોને વહાલું છે, અને સમ્યગ્દર્શન તે મોક્ષમહેલની પ્રથમ સીડી છે. -
(મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા) આત્માના સર્વે ગુણોની પૂર્ણ શુદ્ધતા તે મોક્ષ. | (સર્વગુણાંશ તે સમ્યકત્વ) આત્માના સર્વે ગુણોની અંશે શુદ્ધતા તે મોક્ષમાર્ગ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com