________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૧૯૭ વિદેહમાં ઊપજે તે તો મિથ્યાદષ્ટિ જ હોય. કુંદકુંદાચાર્યદેવ વગેરે અહીંથી વિદેહમાં ગયા હતા તે સાચું-પણ તે તો દેહસહિત ગયા હતા; સમાધિમરણ કરીને તો તેઓ સ્વર્ગમાં ગયા છે.
અજ્ઞાનદશામાં નરકનું આયુ બંધાઈ જાય ને પછી જે જીવ સમ્યગદર્શન પામે તે પહેલી નરકથી નીચે ન જાય. નીચેની છ નરકમાં સમ્યગ્દષ્ટિ જીવો ઊપજતા નથી, ત્યાં ગયા પછી તો સાતેય નરકના જીવો સમ્યગ્દર્શન પામી શકે છે. સાતેય નરકમાં અસંખ્યાતા સમ્યગ્દષ્ટિ જીવો છે.
સમ્યગ્દર્શન પછી તો નરક કે તિર્યંચનું આયુષ્ય બંધાતું જ નથી. ભલે અવ્રતી હોય તોપણ ૪૧ કર્મપ્રકૃતિનું બંધન સમ્યગ્દષ્ટિને કદી થતું નથી, તે આ પ્રમાણેઃ મિથ્યાત્વ, હૂંડક વગેરે પાંચસંસ્થાન, વજર્ષભનારાચ સિવાયનાં પાંચસંહનન, નપુંસકવેદ-સ્ત્રીવેદ, એકેન્દ્રિથી ચતુરેન્દ્રિ, સ્થાવર, આતપ, ઉદ્યોત, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, નરકગતિ, -નરકાનુપૂર્વી-નરકાયુ, તિર્યંચગતિતિર્યંચ અનુપૂર્વી-તિર્યંચાયુ, અનંતાનુબંધી ક્રોધ-માન-માયાલોભ, મ્યાનગૃદ્ધિ-નિદ્રાનિદ્રા-પ્રચલા-પ્રચલા એ ત્રણ દર્શનાવરણ, અપ્રશસ્ત વિહાયોગતિ, નીચગોત્ર, દુર્ભગ, દુસ્વર તથા અનાદેય. આ પ્રકૃતિ મિથ્યાત્વઅવસ્થામાં બંધાઈ ગઈ હોય તોપણ સમ્યકત્વના પ્રભાવથી નષ્ટ થઈ જાય છે. પણ આયુબંધ કર્યો હોય તે સર્વથા છૂટતો નથી; છતાં સમ્યકત્વનો એવો પ્રભાવ છે કે, સાતમી નરકનું આયુ બંધાયું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com