________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩] .
[૧૮૫ જેણે ભવનો અભાવ કર્યો છે તે સમ્યગ્દર્શનનો અચિંત્ય મહિમા છે, અનાદિના દુઃખનો નાશ કરીને અપૂર્વ મોક્ષસુખને તે દેનાર છે; અનંતકાળમાં જે નહોતું કર્યું તે તેણે કર્યું. આવા સમ્યગ્દર્શનનું સ્વરૂપ ને તેનો મહિમા તો ગંભીર છે; કાંઈ દેવો દ્વારા પૂજાને લીધે તેનો મહિમા નથી, તેનો મહિમા તો અંદર પોતાના આત્માની અનુભૂતિથી છે. એ અનુભૂતિનો મહિમા તો વચનાતીત છે.
જેને રાગમાં એકત્વ છે એવા મિથ્યાદષ્ટિ-મહાવ્રતી કરતાં તો રાગથી ભિન્ન ચૈતન્યને અનુભવનાર સમ્યગ્દષ્ટિ અવતી પણ પૂજ્ય છે-મહિમાવંત છે–પ્રશંસનીય છે. અહો ! તમે આત્માનાં કામ કર્યા. આત્માની અનુભૂતિ વડે તમે ભગવાનના માર્ગમાં આવ્યા; એમ ઇન્દ્રને પણ પોતાના સાધર્મી તરીકે તેના પ્રત્યે પ્રેમ આવે છે. આવા મનુષ્યદેહમાં પંચમકાળની પ્રતિકૂળતા વચ્ચે પણ તમે આત્માને સાધ્યો... તમને ધન્ય છે એમ “સુરનાથ જજે હૈં' એટલે કે સમ્યકત્વનું બહુમાન કરે છે, અનુમોદન કરે છે, પ્રશંસા કરે છે. શ્રીકુંદકુંદસ્વામી જેવા વીતરાગી સંત પણ અષ્ટપ્રાભૃતમાં કહે છે કે
તે ધન્ય છે. કૃતકૃત્ય છે, શૂરવીર ને પંડિત છે, સમ્યકત્વ-સિદ્ધિકર અહો ! સ્વપ્નેય નહિ દુષિત છે.
સમ્યગ્દષ્ટિ ચાંડાળદેહમાં રહેલો હોય તોપણ દેવ જેવો છે એમ સમન્તભદ્રસ્વામી રત્નકરંડશ્રાવકાચારમાંકહે છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com