________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૧૮૧ સમ્યગ્દષ્ટિને ‘સુધી' કહ્યા છે. સુધી એટલે સમ્યક છે જેની બુદ્ધિ એવા સાચી બુદ્ધિવંત, ચૈતન્યને સાધવા માટે સાચી બુદ્ધિવાળા સમ્યગ્દષ્ટિ તે સુધી છે, બાકી બધા કુબુદ્ધિ છે. સુબુદ્ધિ સમ્યગ્દષ્ટિ વિષયોથી પાર આત્માને અનુભવનારા, તેને ભલે સંયમદશા જરાય ન હોય, હુજી વિષયાસક્તિ હોય, ગૃહવાસમાં હોય, છતાં સુરનાથ ઇન્દ્રાદિ દેવો પણ તેને પ્રશંસે છે. –આવો સમ્યગ્દર્શનનો મહિમા છે.
આત્મામાં જેણે બુદ્ધિ છેડી તે જ સાચા બુદ્ધિમાન છે; બીજું જાણપણું તેને ભલે ઓછું હોય. તે સમ્યગ્દષ્ટિ જીવો આઠ ગુણના આભૂષણોથી શોભે છે. મુનિદશાની ભાવના હોવા છતાં હજી ચારિત્રમોહ વર્તે છે તેથી સંયમ લઈ શકતા નથી. કર્મને કારણે નહિ પણ પોતે ચારિત્રમોહને વશ વર્તે છે. તે કારણે, એટલે પોતાના તેટલા દોષને કારણે તે હજી આરંભપરિગ્રહમાં રહ્યા છે, વિષય-વ્યાપાર છોડીને હુજી મુનિ થયા નથી, સંયમ કે વ્રત લેશમાત્ર નથી, વેપાર-ધંધા-સ્ત્રી વગેરે હોય છે, છતાં તે સમ્યગ્દષ્ટિ તેમાં રાચતો નથી, તેનું સમ્યગ્દર્શન બગડતું નથી, તે તો જળકમળવત્ પોતાને જુદો ને જુદો અનુભવે છે; અંદર ચૈતન્યનું વિષયાતીત સુખ ચાખ્યું છે, એટલે વિષયોમાં સુખ માનીને લેપાતા નથી. વ્રતાદિનો અભાવ હોવા છતાં તેમાં સમ્યગ્દર્શનનો દોષ નથી, સમ્યગ્દર્શન તો તેનું ત્રણલોકમાં પ્રશંસનીય છે.
સમ્યગ્દર્શનના પ્રતાપે અનંતાનુબંધી કષાયનો અભાવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com