________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૧૭૯ વિરુદ્ધ બીજા કોઈને માને નહિ, નમે નહીં, પ્રશંસે નહીં.
એક તરફથી કુંદકુંદાચાર્ય જેવા વીતરાગી સંતનો પોતે ભક્ત કહેવડાવે અને બીજી તરફ એમનાથી વિરુદ્ધ કહેનારાનો પણ આદર અને શ્રદ્ધા કરે, તો એને સત્યનો વિવેક ક્યાં રહ્યો? બાપુ! વીતરાગમાર્ગના ને વીતરાગી સંતોના વિરોધી એવા કુગુરુના સેવનમાં તો મિથ્યાત્વની પુષ્ટિ તથા તીવ્ર કષાયને લીધે આત્માનું ઘણું બૂરું થાય છે, તેથી તેનો નિષેધ કરીએ છીએ, તેમાં કાંઈ કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષબુદ્ધિ નથી પણ જીવોનાં હિતની જ બુદ્ધિ છે, તથા પોતાની શ્રદ્ધા ચોકખી રહે ને તેમાં દોષ ન લાગે તે માટે આ વાત છે. સત્યમાર્ગથી વિરુદ્ધનો વિકલ્પ ધર્મી કદી આવવા ન ધે. મિથ્યાત્વ-સંબંધી દોષોથી બચવા અને સમ્યકત્વની શુદ્ધિ જાળવવા નિઃશંકતાદિ આઠ અંગ આદરણીય છે.
આ રીતે સમ્યકત્વસંબંધી ગુણ-દોષને ઓળખીને, પોતાના હિત માટે નિઃશંકતાદિ આઠ ગુણસહિત, તથા શંકાદિક પચ્ચીસ દોષરહિત, શુદ્ધ સમ્યકત્વને ધારણ કરો એમ ઉપદેશ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com