________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬ ]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ બતાવ્યું તથા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે વીતરાગમાર્ગ બતાવ્યો, તેનાથી વિરુદ્ધ કહેનારા ને વિરુદ્ધ માનનારા એવા કુદેવ-કુગુરુ-કુધર્મને ધર્માજીવ સર્વપ્રકારે છોડ છે, કોઈ પ્રકારે. તેની અનુમોદના કરતા નથી, તેમજ એવા કુદેવ-કુગુરુકુધર્મને સેવનારા મિથ્યાષ્ટિજીવોનો સંગ પણ તે છોડે છે, ધર્મબુદ્ધિથી એવા જીવોનો સંગ તે કરતા નથી. વળી દેવસંબંધી અનેક મૂઢતા, ગુરુસંબંધી અનેક મૂઢતા તથા ધર્મસંબંધી અનેક મૂઢતા લોકોમાં ચાલે છે, પણ ધર્મી તેને સ્વનેય માને નહીં.
જે ધર્મનું સ્થાન નથી, જેની પાસે ધર્મનો સાચો ઉપદેશ નથી, સમ્યજ્ઞાનનું સ્વરૂપ જેમાં નથી, અનેક પ્રકારે જે વિષય કષાયના રાગ-દ્વષના પોષક છે, જેમાં હિંસાઅહિંસાનો પણ વિવેક નથી એવા કુદેવ-કુગુરુ-કુધર્મ તે ધર્મનાં અનાયતન છે, તેના સેવનથી આત્માનું જરાપણ હિત થતું નથી, તેના સેવનથી તો સમ્યકત્વાદિનો ઘાત થાય છે ને આત્માનું અત્યંત બૂરું થાય છે. એવા કુદેવાદિનું સેવન સમ્યગ્દષ્ટિને તો હોય જ નહિ, પણ જૈન નામ ધરાવનાર જિજ્ઞાસુને પણ એવા કુદેવાદિનું સેવન હોય નહીં. વીતરાગી જૈનમાર્ગના દેવ-ગુરુ-ધર્મ, અને તેને સેવનારા સાધર્મીધર્માત્મા સિવાય બીજાનું સેવન અહિતનું કારણ જાણીને અત્યંત છોડવા જેવું છે.
સમ્યગ્દષ્ટિ, મહાન અલૌકિક આત્માના અંતસ્વભાવનું જેને ભાન થયું છે, તેને નિશ્ચયસમ્યકત્વની સાથે વ્યવહાર પણ પચ્ચીસ દોષરહિત હોય છે, આજીવિકા છૂટી જાય, ધન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com