________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૧૭૩ F ૭. તપમદ F પોતે કોઈ ઉપવાસ સ્વાધ્યાયાદિ તણ કરતો હોય ને બીજા ધર્માત્માને ઉપવાસાદિની વિશેષતા ન હોય ત્યાં ધર્મીજીવ પોતાને અધિક ને બીજાને હલકો માનીને તપમદ કરતો નથી. અહીં, ખરા તપસ્વી તો તે શુદ્ધોપયોગી મુનિભગવંતો છે કે જેઓ ચૈતન્યના ઉગ્ર પ્રતપનવડે વીતરાગભાવ પ્રગટાવીને કર્મોને ભસ્મ કરી નાંખે છે; હું તો હુજી પ્રમાદમાં પડ્યો છું. શરીરની નિર્બળતાથી કોઈ ઉપવાસાદિ તપ ન કરી શકે પણ જ્ઞાન-ધ્યાનની ઉગ્રતા વડ આત્માની શુદ્ધતા વધારતા હોય તો તે ધન્ય છે. આ પ્રમાણે સમ્યગ્દષ્ટિને તપનો મદ થતો નથી. મદ તે તો કષાય છે, ને તપ તે તો કષાયના નાશને માટે છે.
i ૮. ઐશ્વર્ય મદ F ઐશ્વર્યનો મદ એટલે પૂજ્યપણાનો મદ અથવા અધિકારનો મદ, તે ધર્માત્માને હોતો નથી. અમે તો સર્વજ્ઞના પુત્ર છીએ, અમારું પદ તો સર્વજ્ઞપદ છે, બીજા કોઈ અમારાં પદ નથી. કેવળજ્ઞાનવડે જ અમારી મોટાઈ છે, એ સિવાય બહારનાં રાજપદ કે પ્રધાનપદવડે અમારા આત્માની મોટાઈ નથી. –આમ જાણનાર ધર્મીને બહારની મોટાઈનો મદ હોતો નથી. પુષ્યયોગે બહારની મોટાઈ ને ઠાઠમાઠ હોય પણ તેને કારણે પોતાના આત્માની મોટાઈ ધર્મી માનતા નથી.
“લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો?' એ તો બધા સંસારના ઠાઠ છે, તેમાં કાંઈ આત્માની શોભા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com