________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૧૬૩
દીનતા પણ થતી નથી. એ બધા સંયોગથી અત્યંત ભિન્ન ચૈતન્યસ્વરૂપે જ પોતાને દેખ્યો છે. અરે, મારા ચૈતન્યની અધિકતાથી બીજું કોણ અધિક છે-કે જેનો હું મદ કરું? મારા ચૈતન્યના તેજ પાસે ચક્રવર્તીપદ પણ ઝાંખુ લાગે છે, તેમાં મારી મોટાઈ નથી. ચક્રવર્તીપદ તો રાગનું ફળ છે. ક્યાં અનંતગુણમય ચૈતન્યપદ, અને ક્યાં વિકારનું ફળ! જેણે પરમેશ્વરની જાતિરૂપે પોતાને દેખ્યો તેને હવે કઈ ખામી રહી કે બહા૨માં દેહની જાતિ વગેરેમાં પોતાપણું માને ? ચૈતન્યજાતિ પાસે જડ-દેહની જાતિનાં અભિમાન કેવા ? દેહ હું છું જ નહીં, હું તો ચૈતન્ય જ છું-આવા સમ્યક ભાનમાં ધર્મીને શરીરાદિસંબંધી મદ હોતા નથી. મિથ્યાત્વરૂપ દોષ તો ધર્મીને હોય જ નહિ, અને સમ્યક્ત્વના અતિચારરૂપ દોષને પણ તે દૂર કરે છે, તેનો આ ઉપદેશ છે. નિશ્ચય સમ્યગ્દર્શન સાથે આવો ચોખ્ખો વ્યવહાર હોય છે, તેમાં સહેજ પણ અતિચાર લાગે તો તે દોષ છે. એમ સમજીને તેનો ત્યાગ કરવો જોઈએ. ધર્મનાં સ્થાન તો વીતરાગી અરિહંતદેવ, નિગ્રંથ મુનિગુરુ અને વીતરાગી શાસ્ત્ર છે, તેમાં ધર્મીજીવ શંકા કરે નહિ અને તેનાથી વિરુદ્ધ હોય તેને કોઈ પ્રકારે આદરે નહીં. પ્રાણ જાય કે ગમે તેટલી પ્રતિકૂળતા આવે તોપણ વીતરાગી દેવ-ગુરુની શ્રદ્ધા છોડે નહિ, એટલે તેને સમ્યક્ત્વમાં શંકાદિ દોષ હોતાં નથી.
સંસારમાં ભ્રમણ કરતો જીવ શુભાશુભકર્મવશ ઊંચ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com