________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૧૬૦ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
વાત્સલ્ય અને પ્રભાવના એ આઠગુણ કહ્યા હતા, તેનાથી વિરુદ્ધ તે આઠ દોષ છે, તે આ પ્રમાણે-શંકા, કાંક્ષા, દુર્ગા, મૂઢતા, અનુપગ્રહન, અસ્થિતિરણ, અવાત્સલ્ય અને અપ્રભાવના.
(૧) સમ્યગ્દષ્ટિ જીવ જિનમાર્ગમાં ક્દી સંદેહ કરતો નથી; (૨) ધર્મના ફળમાં સંસાર-ભોગને વાંછતો નથી; (૩) શરીરાદિ ગમે તેવા હોય તોપણ ધર્માત્માના ગુણો પ્રત્યે કદી ધૃણા કરતો નથી;
(૪) સાચા દેવ-ગુરુ-ધર્મ કેવા છે? સત્યમાર્ગ શું ને કુમાર્ગ શું તેનો વિવેક કરવામાં કદી મુંઝાતો નથી; બરાબર પરીક્ષા કરીને સત્યમાર્ગને જ આદરે છે, કુમાર્ગોને છોડે છે;
(૫) પોતાના ગુણોની પ્રસિદ્ધિ ચાહતો નથી ને બીજા ધર્માત્માના દોષ દેખીને તેની નિંદા કરતો નથી, પણ દોષ ઢાંકીને યુક્તિથી તે દૂર છે ને ધર્મની વૃદ્ધિ કરે છે,
(૬) પોતે કે બીજા સાધર્મી ધર્મમાર્ગથી ડગે તેવું કદી કરતો નથી, પણ સ્વ-૫૨ને ધર્મમાર્ગમાં દઢ કરે છે,
(૭) ધર્મનો કે ધર્માત્માનો અપવાદ થાય તેવું કરતો નથી, પણ વાત્સલ્ય વડે પ્રશંસા-આદર કરે છે; અને
(૮) લોકમાં જૈનધર્મ નિંદાય એવું કદી કરતો નથી પણ તેની પ્રભાવના થાય ને તેનો મહિમા પ્રસિદ્ધ થાય તેવું કરે છે.
આ પ્રમાણે સમ્યગ્દષ્ટિજીવ શંકાદિક આદોષ રહિત અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com