________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩ પણ ગોપવીને તે દોષ દૂર કરવાનો ઉપાય કરે છે. ભાઈ, કોઈના અવગુણ પ્રસિદ્ધ થાય તેથી તને શું લાભ છે? અને એનાં અવગુણ પ્રસિદ્ધ ન થાય તેથી તને શું નુકશાન છે? “ભેંસના શિંગડાં ભેંસને ભારે, ' જે કરશે તે ભોગવશે” – તેમ સામાના ગુણ-દોષનું ફળ એને છે, એમાં તારે શું? માટે સમાજમાં જે રીતે ધર્મની નિંદા ન થાય ને પ્રભાવના થાય, તથા પોતાના ગુણોમાં વૃદ્ધિ થાય-તે રીતે ધર્મી પ્રવર્તે
–આ બધું તો સમ્યગ્દર્શનના વ્યવહારમાં આવી જાય છે. નિશ્ચયમાં તો પોતાના શુદ્ધ આત્માની પ્રતીત ધર્મીને સદાય વર્તે છે. કોઈપણ રીતે, પોતામાં તેમજ પરમાં ગુણની વૃદ્ધિ થાય ને દોષ ટળે, –એટલે કે આત્માનું હિત થાય ને ધર્મની શોભા વધે-તેમ ધર્મી વર્તે છે. કોઈ સાધર્મીથી કોઈ દોષ થઈ ગયો હોય ને ખ્યાલમાં આવી જાય તો તેનો ફંફેરો ન કરે, તિરસ્કાર ન કરે, પણ ગુપ્તપણે બોલાવીને પ્રેમથી સમજાવે કે જો ભાઈ ! આપણો જૈનધર્મ તો મહાન પવિત્ર છે, મહા ભાગ્યે આવો ધર્મ મળ્યો છે, તેમાં તારાથી આવો દોષ થઈ ગયો પણ તું મુંઝાઈશ નહીં, તારા આત્માના શ્રદ્ધાજ્ઞાનમાં દઢ રહેજે. આરાધના વડે તારા દોષને છેદી નાખજે. આમ પ્રેમથી તેને ધર્મનો ઉત્સાહ જગાડીને તેના દોષ દૂર કરાવે છે. દોષને છૂપાવવામાં કાંઈ તેના દોષને ઉત્તેજન આપવાનો હેતુ નથી પણ તિરસ્કારથી તે જીવ નિરૂત્સાહિત થઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com