________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬ ]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ વીતરાગતાનો માર્ગ. કોઈ અજ્ઞાની જનો તેની નિંદા કરે તેથી કાંઈ તે મલિન થઈ જતો નથી. આવા માર્ગની શ્રદ્ધામાં સમ્યગ્દષ્ટિજીવ અત્યંત નિષ્ક્રપ વર્તે છે, તલવારની તીખી ધાર જેવી તેની શ્રદ્ધા મિથ્યાત્વની કુયુક્તિઓને હણી નાખે છે, કોઈ પણ કુયુક્તિઓ વડે તેની શ્રદ્ધા ચલાયમાન થતી નથી. આવા માર્ગને જાણીને જે ધર્મી થયો છે એવા જીવને કોઈ દોષ થઈ જાય તો તેના ઉપગૂહુનની આ વાત છે. જ્યાં ગુણ અને દોષ બંને હોય તેમાં ગુણની મુખ્યતા કરીને દોષને ગૌણ કરવો–તે ઉપગૂન છે. પણ જ્યાં સાચો માર્ગ હોય જ નહીં અને મિથ્યામાર્ગને જ ધર્મ મનાવી રહ્યા હોય તેને તો જગતનાહિત માટે પ્રસિદ્ધ કરીને બતાવે કે આ માર્ગ ખોટો છે, દુઃખદાયક છે, માટે તેનું સેવન છોડો, અને પરમ સત્ય વીતરાગ જૈનમાર્ગને સેવો. પોતામાં પણ રત્નત્રયધર્મની શુદ્ધી જેમ વધે તેમ કરે. દુનિયા સાથે મારે કામ નથી, મારે તો આત્મામાં શુદ્ધતા વધે ને વીતરાગતા થાય–તે જ પ્રયોજન છે, –આવી ભાવનાપૂર્વક ધર્મી પોતામાં ધર્મની વૃદ્ધિ કરે છે, તેને ઉપબૃહણગુણ કહેવાય છે.
ધર્મી જાણે છે કે મારા ગુણ મારામાં છે, મારી અનુભૂતિમાં મારો આત્મા પ્રસિદ્ધ થયો છે-તે હું જાણું છું, દુનિયાને દેખાડવાનું શું કામ છે? શું દુનિયા માને તેથી કાંઈ મારા ગુણની શુદ્ધિ વધે છે? ને દુનિયા ન દેખે તેથી કાંઈ મારા ગુણની શુદ્ધિ અટકી જાય છે? –ના. મારા ગુણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com