________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૧૪૫ બહાર પાડીને તિરસ્કાર ન કરે, પણ યુક્તિથી તેને સુધારે. પણ આનો અર્થ એવો નથી કે મિથ્યાષ્ટિ ગમે તેવા વિપરીત કુમાર્ગનું પ્રતિપાદન કરે તો પણ તેની ભૂલ પ્રસિદ્ધ ન કરે, મિથ્યામતોમાં તત્ત્વની કેવી વિપરીતતા છે, મિથ્યાષ્ટિ જીવ કેવી-કેવી ભૂલ કરે છે તે તો બરાબર બતાવે, અને સાચું તત્ત્વ કેવું છે તે સમજાવે. -જો એમ ન કરે એટલે કે કુમાર્ગનું ખંડન કરીને સત્ય માર્ગનું સ્થાપન ન કરે તો જીવો હિતનો માર્ગ ક્યાંથી જાણે? માટે સાચા ખોટાની ઓળખાણ કરાવવી તેમાં કાંઈ કોઈની નિંદાનો ભાવ નથી. જીવોના હિત માટે સત્યમાર્ગની પ્રસિદ્ધિનો અને અસત્યના નિષેધનો ભાવ તો ધર્મીને આવે છે. ધર્મની નિંદા થતી હોય, દેવ-ગુરુની નિંદા થતી હોય-એવા પ્રસંગે ધર્માત્માથી રહી શકાય નહીં, પોતાની શક્તિથી તેને તે દૂર કરે છે.
બધા ધર્મી જીવોના ઉદયભાવ એકસરખાં હોતાં નથી, શ્રદ્ધા બધાની સરખી હોય પણ ઉદયભાવ તો અનેક પ્રકારનાં હોય છે. કોઈની પ્રકૃતિમાં ફેર હોય, ક્રોધ-માનાદિ દોષ (ભૂમિકા અનુસાર) થઈ જતા હોય, ત્યાં તેની મુખ્યતા કરીને શાસનની નિંદા ન થવા દે, અરે, એ તો ધર્માત્મા છે, જિનેશ્વરદેવના ભક્ત છે, આત્માના અનુભવી છે, સમ્યગ્દષ્ટિ છે, એમ ગુણને મુખ્ય કરીને, પરિણામમાં ક્યાંક જરાક ફેર પડી ગયો હોય તે દોષને ગૌણ કરી નાખે છે, ધર્મની કે ધર્માત્માની નિંદા થવા દેતા નથી. અહા, આ તો પરમ પવિત્ર જૈનમાર્ગ. એકલી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com