________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ શોભે છે, તે પ્રશંસનીય છે. આ રીતે આત્માના સમ્યકત્વ ધર્મને ઓળખનાર જીવ શરીરાદિની અશુચી દેખીને પણ ધર્માત્મા પ્રત્યે ધૃણા-તિરસ્કાર કરતો નથી, પણ તેના પવિત્ર ધર્મ પ્રત્યે પ્રેમ અને આદર કરે છે, તેને નિર્વિચિકિત્સા અંગ છે. (આ નિર્વિચિકિત્સા અંગ માટે ઉદાયન રાજાનું દષ્ટાંત શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે; તે “સમ્યકત્વકથા” વગેરે જોઈ લેવું.)
કોઈ ધર્મીને પુણ્ય ઓછા હોય–તેથી શું? પુણ્ય તો ઉદયભાવનું ફળ છે, તેનાથી કાંઈ આત્માની શોભા નથી; આત્મા તો સમ્યકત્વાદિથી જ શોભે છે. ધર્મમાં તો ગુણથી જ શોભા છે, કાંઈ પુણ્યથી શોભા નથી. એક તિર્યંચ-કૂતરું પણ જે સમ્યગ્દષ્ટિ હોય તો શોભે છે, ને મિથ્યાદષ્ટિ મોટો દેવ હોય તો પણ શોભતો નથી. કોઈ ધર્મી ઓછા પુણ્યોદયને કારણે નિર્ધન-કદરૂપ હોય, ને પોતે ધનવાનરૂપવાન હોય તો તે કારણે ધર્મી બીજા સાધર્મીથી પોતાની અધિકતા માનતા નથી ને સામાનો તીરસ્કાર કરતા નથી; પણ તેના ગુણની પ્રીતિપૂર્વક આદર કરે છે કે વાહ! દેહાદિની આવી પ્રતિકૂળતા છતાં તે પોતાના ધર્મને સાધી રહ્યો છે. પુણ્યના તો અનેક પ્રકાર છે, તેમાં હીનાધિક્તા હોય તેથી શું? અંદર ધર્મ ચીજ જુદી છે. આ રીતે દેહાદિની હીનતા દેખીને પણ ધર્માત્માના ગુણો પ્રત્યે અણમગાનો ભાવ થતો નથી પણ ગુણનો પ્રેમ આવેછે. આવું સમ્યકત્વનું ત્રીજું અંગ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com