________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન-ભાગ-૩]
[ ૧૩૭ બુદ્ધિથી એવા કોઈ દેવને તે માનતા નથી. હું ધર્મ કરું તેથી સ્વર્ગનો કોઈ દેવ પ્રસન્ન થઈને મને લાભ કરી દેશે એવી બુદ્ધિ ધર્મીને હોતી નથી. સર્વજ્ઞ–વીતરાગ અરિહંતદેવ સિવાય બીજા કુદેવો પાસે તે કદી માથું ઝુકાવતા નથી. હું વીતરાગતાનો સાધક, તો વીતરાગ સિવાય બીજાને દેવ માનું નહીં. ચૈતન્યના વીતરાગભાવ સિવાય પુણ્યની પણ
જ્યાં વાંછા નથી (ધ ન ઈચ્છે પુણ્યને...) ત્યાં બહારના પાપ –ભોગોની શી વાત? જુઓ તો ખરા, આ તો બધું સમ્યગ્દર્શન સાથેના વ્યવહારમાં આવી જાય છે. સમ્યગ્દર્શનની નિશ્ચય અનુભૂતિની તો શી વાત ! ' અરે, લોકો તો બહારના સાધારણ ચમત્કારમાં મોહી પડે છે. પણ એવો ચમત્કાર તો હલકો અભવ્ય દેવ પણ બતાવી શકે. તેમાં આત્માનું હિત શું છે? ધર્મી તો જાણે છે કે સર્વશતા ને વીતરાગતા તે જ મારા ભગવાનનો ખરો ચમત્કાર છે એ સિવાય બહારના બીજા કોઈ ચમત્કાર માટે તે ભગવાનને માને નહિ. બહારના સંયોગનું આવવું-જવું તો પુણ્ય-પાપ અનુસાર બન્યા કરે છે, ધર્મની સાથે એને શું સંબંધ છે? ધર્મી જીવ એની બહારની આકાંક્ષા કરતા નથી.
જ્યાં રાગથી ભિન્ન આત્માના આનંદને પોતામાં દેખ્યો ત્યાં ભવસુખની વાંછા ક્યાંથી રહે? ભવ કહેતાં સંસારની ચારે ગતિ આવી ગઈ, સ્વર્ગ પણ તેમાં આવી ગયું, એટલે દેવગતિના સુખનેય ધર્મી વાંછે નહીં, આવું સમ્યગ્દષ્ટિનું નિઃકાંક્ષા અંગ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com