________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬].
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩ ન આવે ? એણે ચૈતન્યસુખ દેખ્યું નથી ને ઇન્દ્રિયવિષયોમાં સુખબુદ્ધિ છે તેથી તેને સાચું નિ:કાંક્ષપણું હોતું નથી. ભલે સીધી રીતે તે વિષયોની અભિલાષા ન કરે પણ અંદર અભિપ્રાયમાં તો વિષયોની આકાંક્ષા પડી જ છે.
અને, સમ્યગ્દષ્ટિ તો સિદ્ધનો પુત્ર થઈ ગયો, તે તો અખંડ એક જ્ઞાયકસ્વભાવની અનુભૂતિ કરીને જીતેન્દ્રિય થઈ ગયો. આત્મા સિવાય જગતમાં ક્યાંય તેને સુખબુદ્ધિ નથી. પાંચ ઇન્દ્રિયસંબંધી વિષયોની વૃત્તિ આવે તેથી તેમાં તે સુખ માનતા હશે-એમ બિલકુલ નથી, અંદરના અનાકુળ આનંદની જ ભાવના છે. અહા, ધર્મીની ચેતનાના ખેલ તો ધર્મી જ જાણે છે. અજ્ઞાની ઉપરટપકે જોઈને ધર્મીનું સાચું માપ કાઢી શકે તેમ નથી. ધર્મીના અંતર-હૃદય બહારથી દેખાય તેવા નથી. ધર્મી જાણે છે કે મારો ધર્મ તો મારામાં છે, તેનું ફળ કાંઈ બહારમાં ન આવે. બહારનાં પુણ્યફળ તે તો કમોદના ઉપરનાં ફોતરાં જેવાં છે, લોકો તો તેને જ દેખે છે, અંદરના ખરા વીતરાગી કસને લોકો દેખતા નથી. ધર્મના બદલામાં લૌકિકફળને ધર્મી ઈચ્છતા નથી, દુનિયાને દેખાડવા માટે તે ધર્મ કરતા નથી. ધર્મનો ધર્મ તો પોતાના આત્મામાં જ સમાય છે ને તેનું ફળ પણ આત્મામાં જ આવે છે.
કોઈ દેવ આવીને સેવા કરે તો ધર્મ તેનાથી લલચાય નહિ, ને કોઈ દેવ આવીને ત્રાસ આપે, પૈસા વગેરે ઉપાડી જાય, તો તેનાથી ડરીને ધર્મી પોતાનો ધર્મ છોડે નહિ, ધર્મ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com