________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન-ભાગ-૩]
[ ૧૩૫
चक्रवर्तीकी संपदा. इन्द्रसरीखे भोग ।
काकवीठ सम गिनत है सम्यग्दृष्टि लोग ।। (ઈન્દોર હુકમીચંદજી શેઠના જિનમંદિરમાં પણ આ દોહરો છે.)
વિષયો તરફના વિકલ્પને ધર્મીજીવ દુઃખ અને જેલ સમાન ગણે છે, એમાં સુખબુદ્ધિ નથી એટલે તેની વાંછા નથી. ઉત્તમ વસ્તુ ખાતા-પીતા દેખાય, સ્ત્રી-પુત્રાદિ વચ્ચે દેખાય, તેથી કરીને ધર્મી તેમાં સુખ માનતા હશે ? –ના, એમ બિલકુલ નથી. આનંદસ્વરૂપ મારો આત્મા જ છે, પરમાં સુખ જરાય નથી-એવા નિઃશંક ભાનમાં વર્તતા ધર્માત્મા દેવલોકના સુખનેય વાંછતા નથી. – એમાં સુખ છે જ નહીં પછી વાંછા શેની ? ચૈતન્યના અતીન્દ્રિય આનંદની પાસે સ્વર્ગના વૈભવની શી ગણતરી? ઇન્દ્રના વૈભવમાં તે સુખની ગંધ પણ નથી. (સમ્યગ્દષ્ટિ-ઇન્દ્રને આત્માનું સુખ હોય છે તે જાદી વાત છે, પણ બહારના વૈભવમાં તો તેની ગંધ પણ નથી, ને તે ઇન્દ્ર પોતે તેમાં સુખ માનતા નથી.)
અજ્ઞાની બહારમાં ભલે વિષયોનો ત્યાગી હોય છતાં અભિપ્રાયમાં તેને વિષયોની વાંછા છે, કેમકે રાગમાં સુખબુદ્ધિ છે. જેણે ચૈતન્યનું ઇન્દ્રિયાતીત સુખ નથી દેખ્યું તેને ઊંડઊંડ રાગમાં ને વિષયોમાં સુખબુદ્ધિ પડી જ છે, જો તેમાં તેને મીઠાશ ન હોય તો તેનાથી પાછો વળીને ચૈતન્યસુખમાં કેમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com