________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૩૩
વીતરાગવિજ્ઞાન ભાગ-૩] તે પુણ્યનાં ફળમાં બહારનો વૈભવ મળે, પણ ધર્મીને તેની વાંછા નથી, તેનાથી તો તે પોતાના આત્માને અત્યંત ભિન્ન જાણે છે. ધર્મના ફળમાં પુત્ર મળે, પૈસા મળે–એવી વાંછા ધર્મીને નથી. ધર્મી જીવ દેવ- ગુરુ પાસેથી લૌકિક હેતુની આશા રાખે નહિ. શુભરાગ હોય ને વેપાર-લગ્ન-વાસ્તુ વગેરે પ્રસંગે ભગવાનને યાદ કરે તે જુદી વાત છે, તેમાં કાંઈ ભવસુખની વાંછા ધર્મીને નથી. જે સર્વજ્ઞનો ભક્ત થયો તેને સંસારની વાંછા હોય નહિ. રાગનો એક કણિયો પણ મારા જ્ઞાનમાં નથી-એમ જાણનાર જ્ઞાની તે રાગના ફળને કેમ વાંછે? મોક્ષરૂપ જે પરમસુખ તે સિવાય બીજી કોઈ આશાથી તે ધર્મ સેવે નહિ. ધર્મનું ફળ તો વીતરાગી સુખ છે. બાહ્ય વૈભવ કે ઈન્દ્રિાદિ પદ તે કંઈ ધર્મનું ફળ નથી, તે તો રાગનું વિકારનું ફળ છે. તે પુણ્યરૂપ ધર્મને અજ્ઞાની ઈચ્છે છે તેથી તે ભોગહેતુધર્મને સેવે છે–એમ કહ્યું છે; રાગ વગરના શુદ્ધ આત્માના અનુભવરૂપ મોક્ષહેતુધર્મની તેને ખબર નથી.
અંતરના અનુભવમાં પોતાના ચૈતન્ય-પરમદેવને સેવનાર ધર્મી જાણે છે કે મારી આ ચૈતન્ય-ચિંતામણિ આત્મા જ મને પરમ સુખ દેનાર છે. એના સિવાય હું બીજા કોને વાંછું? અરે, સ્વર્ગનો દેવ આવે તોય મારે એની પાસેથી શું લેવું છે? અજ્ઞાનીને તો સ્વર્ગનો દેવ આવવાની વાત સાંભળે ત્યાં ચમત્કાર લાગે છે ને તેના મહિમા આડે ધર્મને ભૂલી જાય છે કેમકે એને પોતાને સ્વર્ગાદિના ભોગની વાંછા છે, અરે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com