________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૨]
[ વીતરાગવિજ્ઞાન-ભાગ-૩ છે. અને સમ્યુષ્ટિજીવ રાજ-પાટ-ઘર-કુટુંબાદિ સંયોગમાં વર્તતો હોય, તે પ્રકારનો રાગ પણ વર્તતો હોય, (ખરેખર તેમાં ક્યાંય તે નથી વર્તતો, તે તો પોતાની ચેતનામાં જ તન્મય વર્તે છે, પણ સંયોગ અપેક્ષાએ રાજપાટમાં ને રાગમાં વર્તે છે એમ કહ્યું છે, છતાં અંતરમાં તે બધાયથી પાર પોતાના ચૈતન્યરસનો આનંદ ચાખ્યો છે તેથી તેને ક્યાંય સ્વપ્નય સુખબુદ્ધિ નથી, એટલે રાગ હોવા છતાં શ્રદ્ધાના બળે તેને નિ:કાંક્ષપણું જ વર્તે છે. ધર્મીની આ કોઈ અલૌકિક દશા છે, જે અજ્ઞાનીને ઓળખાતી નથી, ને ઓળખે તો અજ્ઞાન રહેતું નથી.
લોકો કહે છે કે આપણે ધર્મ કરશું તો પૈસા વગેરે મળશે ને સુખી થશું. –એને તો ધર્મની ખબર નથી ને સુખનીયે ખબર નથી. એ તો શુભરાગને-પુણ્યને ધર્મ માને છે, ને તેના ફળમાં પૈસા વગેરે મળે તેમાં સુખ માને છે; એનાથી ભિન્ન આત્માના અસ્તિત્વની તો તેને ખબર જ નથી. અરે ભાઈ ! ધર્મના ફળમાં કાંઈ પૈસા ન મળે. પૈસા વગેરે મળવા તે કાંઈ ધર્મનું પ્રયોજન નથી; ધર્મનું પ્રયોજન તો આત્માનું સુખ મળે તે છે, અને તે સુખમાં કાંઈ પૈસા વગેરેની જરૂર પડતી નથી. એ તો સંયોગ વગરનું સ્વાભાવિક સુખ આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે. આવા સુખને જે જાણે તેને સંસારમાં બીજા કોઈની પણ વાંછા રહે નહીં, -ક્યાંય સુખબુદ્ધિ થાય નહીં.
ધર્મીને ધર્મની સાથેના રાગને લીધે પુણ્ય બંધાય ને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com