________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૧૨૯, IF ૧. નિઃશંકતા-અંગનું વર્ણન ક
સર્વજ્ઞ જિનદેવે જેવા કહ્યા તેવા જ જીવાદિ તત્ત્વો છે, તેમાં ધર્મીને શંકા હોતી નથી. સર્વજ્ઞના સ્વરૂપનો નિર્ણય તો કર્યો છે, એટલે ઓળખાણ પૂર્વકની નિઃશંકતાની આ વાત છે. ઓળખ્યા વગર માની લેવાની આ વાત નથી. જીવ શું, અજીવ શું, વગેરે તત્ત્વો તો અરિહંતદેવે કહ્યા તે પ્રમાણે પોતે સમજીને તેની નિઃશંક શ્રદ્ધા કરે, અને કોઈ સૂક્ષ્મ તત્ત્વ ન સમજાય તે વિશેષ સમજવા માટે જિજ્ઞાસાથી પ્રશ્નરૂપ શંકા કરે, તેથી કાંઈ તેને જિનવચનમાં સંદેહ નથી. સર્વજ્ઞકથિત જૈનશાસ્ત્રોમાં કહ્યું છે તે સાચું હશે કે અત્યારના વિજ્ઞાનીઓ કહે છે તે સાચું હશે? –એવો સંદેહ ધર્મીને રહેતો નથી. અહીં, જેને સર્વજ્ઞસ્વભાવ પ્રતીતમાં આવ્યો, પરમ અતીન્દ્રિયવસ્તુ પ્રતીતમાં આવી તેને સર્વજ્ઞના કહેલાં તત્ત્વોછ દ્રવ્યો, ઉત્પાદ-વ્યય-ધ્રુવ, દ્રવ્ય-ગુણ-પર્યાય વગેરે (ભલે તે બધા પોતાને પ્રત્યક્ષ ન થાય છતાં) તેમાં શંકા ન હોય. નિશ્ચયમાં પોતાના જ્ઞાનસ્વભાવરૂપ આત્માની પરમ નિઃશંકતા છે, ને વ્યવહારમાં દેવ-ગુરુ-ધર્મમાં નિઃશંકતા છે. જૈનધર્મ એકજ સાચો હશે કે જગતમાં બીજા ધર્મો કહેવાય છે તે પણ સાચાં હશે? –એવી જેને શંકા છે તેને તો સ્થૂળ મિથ્યાત્વ છે, તેને વ્યવહારધર્મની નિઃશંકતા પણ નથી. વીતરાગી જૈનધર્મ સિવાય બીજા કોઈ માર્ગની માન્યતા તો ધર્મીને રૂંવાડેય હોય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com