________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શિક © ,
6
સમ્યગ્દષ્ટિનાં નિઃશંકતાદિ
Sug
આઠ ગુણ
આઠ અંગ સહિત સમ્યકત્વ ધારણ કરવાનું કહ્યું તે આઠ અંગ એટલે કે આઠ ગુણ ક્યા ક્યા છે તે કહે છે
[ ગાથા ૧૨ તથા ૧૩ (પૂર્વાર્ધ) ] जिनवचमें शंका न धार वृष भव-सुख-वांछा भाने। मुनितन मलिन न देख धिनावे तत्त्व-कृतच्च पिछाने।। निजगुण अरु पर औगुण ढांके वा निजधर्म बढावे। कामादिक कर वृषतें चिगते निज-परको सु हिढावे।। १२ ।। धर्मीसों गौ-वच्छ-प्रीतिसम कर जिनधर्म दिपावे। इन गुणतें विपरीत दोष वसु तिनको सतत खिपावे।।
પરદ્રવ્યોથી ભિન્ન પોતાના શુદ્ધ એકત્વસ્વરૂપની રુચિ-પ્રતીત-શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે, તેનો અદભુત મહિમા છે. એવા સમ્યગ્દર્શનની સાથે શંકાદિ આઠ દોષોના અભાવરૂપ નિઃશંકતા વગેરે આઠ ગુણ હોય છે, તેનું આ વર્ણન છે–
૧. જિનવચનમાં શંકા ન કરવી. ૨. ધર્મના ફળમાં સંસારસુખની વાંછા ન કરવી.
૩. મુનિનું મલિન શરીર વગેરે દેખીને ધર્મપ્રત્યે ધૃણા ન કરવી.
૪. તત્ત્વ અને કુતત્ત્વ, વીતરાગદેવ અને કુદેવ, વગેરેના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com