________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૧૨૫
વાનું કહ્યું. પરંતુ ગુણ અને દોષનું સ્વરૂપ જાણ્યા વગર ગુણનું ગ્રહણ ને દોષનો ત્યાગ ક્યાંથી થાય? તેથી હવેની ગાથામાં ગુણ-દોષ બંનેનું સ્વરૂપ ઓળખાવે છે, તે જાણીને ગુણનું ગ્રહણ કરવું ને દોષનો ત્યાગ કરવો. સમ્યગ્દર્શનને માટે કયા ભાવો દોષરૂપ છે તેને ઓળખે તો તેનો ત્યાગ કરે; અને સમ્યક્–દર્શનને માટે કયા ભાવો ગુણરૂપ છે તેને ઓળખે તો તેનું સેવન કરે. દોષને ઓળખે જ નહિ તો કઈ રીતે છોડે ? અને ગુણને ઓળખે જ નહિ તો કઈ રીતે ગ્રહણ કરે ? માટે ગુણનું ગ્રહણ અને દોષનો ત્યાગ કરવા માટે તે બંનેનું સ્વરૂપ જાણવું જોઈએ. દોષને દોષરૂપે જાણવા તે કાંઈ દોષનું કારણ નથી. દોષને જાણતાં ત્યાં જ અટકી જાય ને ગુણસ્વભાવને ગ્રહણ ન કરે તો તેને દોષ ન ટળે ને ગુણ ન પ્રગટે. પણ દોષ અને ગુણ બંનેને જાણીને જ્યાં ગુણસ્વભાવ તરફ વળ્યો ત્યાં દોષ રહેતા નથી. ગુણ અને દોષ બંનેનું ખરૂં સ્વરૂપ જે ઓળખે તે જરૂર ગુણ તરફ ઝુકે, ને દોષથી પાછો વળે. આ રીતે ગુણ-દોષને જાણીને ગુણનું ગ્રહણ કરવા માટે અને દોષનો ત્યાગ કરવા માટે હવે સંક્ષેપથી તેનું સ્વરૂપ કહે છે.
તે ઉપરાંત પ્રશમ-સંવેગ-આસ્તિય ને અનુકંપામાં પણ સમ્યગ્દષ્ટિ પોતાના ચિત્તને જોડે છે. એટલે કે સમ્યગ્દષ્ટિના પરિણામમાં તે પ્રકારની વિશુદ્ધિ હોય છે. તેને અનંતાનુબંધી કષાય તો સર્વથા છૂટી ગયો છે ને બીજા કષાયો પણ મંદ થઈ ગયા છે, તેથી તેને પ્રશાંતભાવ, સંસારથી વિરક્તભાવ ને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com