________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૧૨૩ દર્શન એકલું (નિશ્ચય વગરનું) હોતું નથી; હુજી કે નિશ્ચય સમ્યગ્દર્શન એકલું હોય. જેમ સિદ્ધને અને કેવળીભગવંતોને એકલું નિશ્ચય સમ્યગ્દર્શન છે; પરંતુ તેની જેમ પહેલા ગુણસ્થાને કાંઈ એકલું વ્યવહાર સમ્યગ્દર્શન હોવાનું લાગુ પડતું નથી; કેમકે સાચા સમ્યગ્દર્શન વગર મિથ્યાષ્ટિના એકલા શુભરાગને વ્યવહારસમ્યગ્દર્શન કહેતા નથી. વ્યવહાર તો નિશ્ચય સાપેક્ષ હોય તો જ સાચો કહેવાય.
અહા, ચૈતન્યમાં અનંત સ્વભાવો ભર્યા છે, તેનો મહિમા અભુત છે. તેની સન્મુખ થઈને રાગરહિત નિર્વિકલ્પ પ્રતીત કરતાં અતીન્દ્રિય આનંદના વેદન સહિત સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, તેમાં અનંત ગુણોના નિર્મળભાવો સમાય છે; તે મોક્ષમાર્ગ છે, તેની સાથેનો રાગ-કે જે સાચો મોક્ષમાર્ગ નથી તેને મોક્ષમાર્ગ કહેવો તે વ્યવહાર છે. તે બિલાડીને સિંહ કહેવા સમાન છે; એટલે, આ સાચો સિંહું નથી, આનાથી જુદો બીજો સાચો સિંહ છેતે લક્ષમાં રાખીને બિલાડીમાં સિંહનો ઉપચાર છે. પણ સાચા સિંહને જે લક્ષમાં લેતો નથી ને બિલાડીને જ ખરો સિંહ માની લ્ય છે તેને માટે તો તે ઉપચાર પણ સાચો નથી; નિશ્ચય કે વ્યવહાર એકેયની તેને ખબર નથી, તે તો દેશનાને સમજ્યો જ નથી. મુખ્ય વગર ઉપચાર શેનો ? નિશ્ચય વિનાનો વ્યવહાર કોનો ? જ્યાં સાચો મોક્ષમાર્ગ લક્ષમાં હોય ત્યાં જ રાગાદિ બીજામાં મોક્ષમાર્ગનો ઉપચાર આવે છે, તેમાં પણ સાચો મોક્ષમાર્ગ તો એક જ છે. તેને બરાબર ઓળખીને તેનું સેવન કરવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com