________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણવો. પુછી. ખરો અશે શુદ્ધ
૧૨૦]
| [ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ જાણવો. પુણ્ય-પાપ રાગ-દ્વેષ તે વિકૃતિ છે, દુઃખ છે, તે ખરો આત્મા નથી. ખરો આત્મા ચેતનારૂપ ને આનંદરૂપ છે. આવા આત્માને ઓળખતાં જે અંશે શુદ્ધતા પ્રગટે તે સંવર નિર્જરારૂપ મોક્ષમાર્ગ છે, અને પૂર્ણ શુદ્ધતા પ્રગટે તે મોક્ષ છે. અતીન્દ્રિય પૂર્ણ સુખના અનુભવરૂપ આવી મોક્ષદશા આદરણીય છે, તે જ સાધ્ય છે. મુમુક્ષુજીવને આવા મોક્ષપદ સિવાય બીજું કાંઈ સાધ્ય નથી; મોક્ષદશા સિવાય બીજા કોઈ સંયોગમાં કે રાગમાં તેને ચેન પડતું નથી, સ્વપ્નય તેમાં સુખ લાગતું નથી. * જીવનો સ્વભાવ અજીવથી જુદો છે ને સ્વયં
સુખરૂપ છે. * સંયોગો જીવને સુખરૂપ નથી, દુઃખરૂપ પણ નથી. * રાગાદિ આવો દુઃખરૂપ જ છે, તેમાં જરાય સુખ
નથી. * આત્માના સમ્યગ્દર્શનાદિ સુખરૂપ છે, તેમાં દુઃખ
નથી. * આસ્રવ દુઃખનાં કારણ છે માટે તેને તજીયે. * સંવર-નિર્જરા સુખનાં કારણ છે માટે તેને
ભજીયે.
અરે, પોતાને સુખ-દુઃખનાં કારણ કોણ છે તેની પણ જીવને ખબર નથી. સચ્ચિદાનંદસ્વરૂપ આત્માની ખબર કરીને (શ્રદ્ધા-શાન કરીને), તેનાથી વિપરીત એવા પુણ્યપાપ- રાગ-દ્વેષાદિ અશુદ્ધ ભાવોને દુઃખરૂપ જાણીને છોડવા જોઈએ, અને શુદ્ધ આત્માના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સંવર ને સુખરૂપ સમજીને આદરવા જોઈએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com