________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૧૧૩ જીવ છેદી શકે છે; એ જ રીતે શરીરમાં રોગાદિ હોવા છતાં તેમાં દુઃખની માન્યતાને જીવ છેદી શકે છે.
બહારના પદાર્થો તેમના અસ્તિત્વમાં છે, તે કાંઈ જીવમાં નથી. સુખ કે દુઃખનું અસ્તિત્વ જીવમાં છે, પરમાં નથી.
પ્રતિકૂળ સંયોગ હોય ને દુઃખ થાય તોપણ તે દુઃખનું અસ્તિત્વ જીવમાં છે, સંયોગમાં નથી. જીવ પોતાના આનંદસ્વભાવને ભૂલીને પરવસ્તુમાં સુખ કલ્પીને તેના ગાઢ પ્રેમમાં અટકી ગયો છે. જ્યાં સુધી પરમાં સુખ માને ત્યાં સુધી તેનો ઉપયોગ પરમાંથી પાછો હઠે નહિ ને સ્વમાં ઉપયોગ વળે નહિ, એટલે તેને સંવર-નિર્જરા થાય નહિ, આસ્રવ ને બંધ જ થાય.
અહીં તો કહે છે કે જીવને કોઈ પણ પ્રકારનો આસ્રવ કે બંધ થાય તેને સારો ન માનવો; બંધના કારણરૂપ મિથ્યાત્વને કે શુભ-અશુભભાવોને ન સેવવા; પણ મોક્ષના કારણરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગભાવને નિરંતર સેવવા; તેનું સેવન તે ભાવસંવર ને ભાવનિર્જરા છે. અશુભને છોડવો ને શુભરાગને આદરવો એમ અજ્ઞાની માને છે; જ્ઞાની તો અશુભ કે શુભ બંનેથી જુદી જાતના એવા શુદ્ધચેતનભાવને જ આદરે છે; શુભ-અશુભ બંનેને જ્ઞાનથી ભિન્ન જાણીને છોડે છે.
જુઓ તો ખરા, સાત તત્ત્વના નિર્ણયમાં કેટલું સમાજાઈ જાય છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com