________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩ ક્યાંથી થાય? સુખનું કારણ તો સુખથી ભરેલો એવો પોતાનો સ્વભાવ જ છે, તેના સેવનથી વર્તમાનમાં સુખ છે ને તેનું ફળ પણ સુખ જ છે, તે કદી દુઃખનું કારણ થતો નથી. આવું તત્ત્વજ્ઞાન કરવું તે જ સુખી થવાનો ઉપાય છે.
ભાઈ, તું પરપદાર્થોને તો તારાથી ભિન્ન જાણીને તેની મમતા છોડ. પરતરફના તારા ભાવોને પણ દુ:ખરૂપ જાણીને તેનું પણ સેવન છોડ. એ રીતે પરથી ભિન્ન અને પરભાવોથી પણ ભિન્ન એવા તારા નિજરૂપને નીહાળ. એને નીહાળતાં જ તને પરમ સુખ થશે. આમાં સાતે તત્ત્વનો સાર આવી ગયો.
પરદ્રવ્ય જીવને દુ:ખ નથી આપતું; જો પરદ્રવ્ય જીવને દુઃખી કરતું હોય તો તે દુઃખથી છૂટવાનું પણ જીવને આધીન ન રહ્યું; પરદ્રવ્ય છોડે ત્યારે જીવ દુઃખથી છૂટે! –પણ એમ નથી. દુઃખનું કારણ મિથ્યાત્વાદિ ભાવ જીવમાં છે અને જીવ તેને છોડતાં દુ:ખ છૂટી જાય છે, એટલે દુઃખથી છૂટવું તે પોતાના હાથની વાત છે. પોતાનું સુખ પોતામાં છે તેને સ્વાધીનપણે પોતે વેદી શકે છે. જેમ જીવને દુઃખનું કારણ પરવસ્તુ નથી તેમ સુખનું કારણ પણ પરવસ્તુ નથી. અરે, સંસારના કલ્પેલા સુખનું કારણ પણ પરવસ્તુ નથી, ત્યાં પણ જીવની પોતાની કલ્પના જ સુખ-દુઃખનું કારણ છે. જેમ કોઈ અજ્ઞાનીએ પૈસામાં કે સ્ત્રી વગેરેમાં સુખ માન્યું, અથવા શરીરના રોગાદિમાં દુઃખ માન્યું, તો તે માન્યતાનું કારણ કાંઈ તે પૈસા કે રોગ વગેરે નથી; પૈસા પડ્યા હોવા છતાં તેમાં સુખની માન્યતાને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com