________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૧૧૧ * જીવના સુખને કે દુઃખને બહારના પદાર્થો
કારણભૂત નથી. * એક જ બાહ્યપદાર્થમાં એક માણસ સુખની
કલ્પના કરે છે, –બીજ દુ:ખની - માટે સુખ
દુઃખની કલ્પનાનું પણ કારણ પરદ્રવ્ય ન ઠર્યું. - આમ જાણે તે જીવ પરદ્રવ્યમાં સુખ-દુ:ખની બુદ્ધિ તથા રાગ-દ્વેષ છોડીને, પોતાના ભાવમાં જે રીતે સુખ થાય ને દુઃખ મટે તેવો ઉપાય કરે, એટલે કે સંવર-નિર્જરાનો ઉપાય કરે ને આસ્રવ-બંધને છોડે.
નવતત્ત્વને ઓળખવામાં આ બધું આવી જાય છે. કેટલાક લોકો નવ તત્ત્વનાં નામ ગોખે છે (જો કે ઘણાયને તો નામ પણ નથી આવડતા ) પણ તેના સ્વરૂપની ઓળખાણ કરવી જોઈએ.
પાપનો કે પુણ્યનો આસ્રવ જેનાથી થાય તે પોતે દુઃખ છે અને દુઃખનું જ કારણ છે. અજ્ઞાની પુણ્યાગ્નવને ધર્મનું કારણ માને છે, પણ અહીં તો કહે છે કે તે દુઃખનું જ કારણ છે. કોઈ સમજે કે આસ્રવમાં અત્યારે ભલે દુ:ખ હોય પણ ભવિષ્યમાં તે સુખનું કારણ થશે, તો કહે છે કે ના; આસવો (એટલે મિથ્યાત્વ અને પુણ્ય-પાપના બધા ભાવો) તે અત્યારે પણ દુઃખ છે ને ભવિષ્યમાં પણ તેની સાથેનો સંબંધ દુઃખનું જ કારણ છે. જે પોતે દુઃખસ્વરૂપ જ છે તે સુખનું કારણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com